Wednesday, June 24, 2026

યાત્રાધામ પાવાગઢ મંદિરમાં દર્શન માટે જાઓ તો ધ્યાન રાખજો, વાહનો માટે લેવાયો આ મોટો નિર્ણય

spot_img
Share

પંચમહાલ : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ મંદિર તથા ડુંગર પર હાલ નવીનીકરણની કામગીરી હાથ ધરાઈ છે. આ વચ્ચે યાત્રાળુઓની અવરજવર તો રહે જ છે. ખાસ કરીને તહેવાર કે શનિ રવિવારના રજાના દિવસે ભારે ભીડ રહે છે. તેથી આવા માહોલમાં ટ્રાફિક જામ ન સર્જાય તે માટે પંચમહાલ કલેક્ટર દ્વારા વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પંચમહાલ જીલ્લા મેજિ્સ્ટ્રેટ આશિષકુમારે પાવાગઢ તળેટીથી માંચી સુધીનું જાહેરનામું બહાર પાડ્યું છે.

પંચમહાલ જીલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી શનિવાર અને રવિવારે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવા માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે, જેમાં પાવાગઢ ખાતે શનિવાર અને રવિવારે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અવર જવર કરતા હોય તેમજ પાવગઢથી માચી સુધીનો રસ્તો ખૂબ જ વળાંક વાળો, વાંકોચુકો, ચઢાણ ઉતરાણવાળો તેમજ સાંકડો છે.

હાલ ચોમાસુ હોવાથી શ્રદ્ધાળુઓની અવર જવર દરમ્યાન અકસ્માત કે જાનહાની ન સર્જાય તે માટે ટ્રાફિકનું નિયમન કરવું જરૂરી છે, જેથી યાત્રાધામ પાવાગઢ તળેટીથી માચી સુધીના રૂટ ઉપર જાહેરનામું પ્રસિદ્ધ કર્યા થી બે માસ એટલે કે આજ થી 7 સપ્ટેબર 2023 દરમ્યાન આવતા તમામ શુક્રવારના રાતના 12 કલાકથી રવિવારના સાંજના 7 વાગ્યા સુધી તળેટીથી માચી સુધી જવાના રસ્તા ટેક્ષી, ઓટો રીક્ષા, ટ્રક, જીપ,બાઇક સહિત ખાનગી ભારે તેમજ હળવા વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

તે ઉપરાંત મુસાફરોની સુવિધા માટે કલેક્ટર દ્વારા વધુ એક સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. પાવાગઢ ડુંગર પર જવા માટે એસટી નિગમની 20 જેટલી બસોની વ્યવસ્થા કરાઈ છે. માચી સુધીની અવર જવર માટે આ બસોની સુવિધા મુસાફરોને આપવામાં આવી છે. આજથી બે માસ સુધી શનિવારે અને રવિવારે ખાનગી વાહનો પાવાગઢ ડુંગર ઉપર લઈ જવાના પ્રતિબંધના જાહેરનામાનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...