Wednesday, September 17, 2025

નારણપુરા વિધાનસભામાં યોજાઈ ટિફિન બેઠક, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાર્યકર્તાઓ સાથે લીધુ ભોજન, જુઓ તસવીરો

Share

Share

અમદાવાદ : શહેરના નારણપુરા વિધાનસભામાં રવિવારે સાંજે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુ ભગત, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સહીત મહાનુભાવોએ ઘરેથી ટિફિન લઈને આવેલા કાર્યકર્તાઓ સાથે બેસીને ભોજન લીધું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે સાંજે જુના વાડજ ખાતે આવેલ દુઘનાથ મહાદેવ હોલ ખાતે યોજાયેલ ટિફિન બેઠકમાં નારણપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકત્ર થયા હતા.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાન તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત થયા હતા અને નારણપુરા વિધાનસભા હેઠળ આવતા ત્રણ વોર્ડના પ્રમુખ, કાઉન્સિલરો, હોદેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ટિફિન બેઠકમાં જોડાયા હતા

અને આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો. ઘણી મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના કાર્યકરો એકત્ર થયા હતા.

આ ટિફિન બેઠકમાં મહાનુભાવો, આગેવાનો અને કાર્યકરોએ બુથને મજબૂત કરવા અને સરકારના વિકાસના કામોને પ્રજા સુધી લઈ જવા પર ભાર મુક્યો હતો.

શહેરના વિકાસના કામો કઈ રીતે વધુ કરી શકાય તે માટે પણ ચર્ચા વિચારણા કરી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતો કઈ રીતે મળે તે માટે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને માહિતગાર કરાયા હતા.

લોકસભા ચૂંટણી પહેલા બીજેપી દરેક મોરચે વિપક્ષને મ્હાત આપવા કમર કસી રહી છે.
નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ (ભગત)નો ફરી એકવાર કોમનમેન અવતાર જોવા મળ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...