Wednesday, February 4, 2026

નારણપુરા વિધાનસભામાં યોજાઈ ટિફિન બેઠક, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાર્યકર્તાઓ સાથે લીધુ ભોજન, જુઓ તસવીરો

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા વિધાનસભામાં રવિવારે સાંજે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુ ભગત, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સહીત મહાનુભાવોએ ઘરેથી ટિફિન લઈને આવેલા કાર્યકર્તાઓ સાથે બેસીને ભોજન લીધું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે સાંજે જુના વાડજ ખાતે આવેલ દુઘનાથ મહાદેવ હોલ ખાતે યોજાયેલ ટિફિન બેઠકમાં નારણપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકત્ર થયા હતા.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાન તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત થયા હતા અને નારણપુરા વિધાનસભા હેઠળ આવતા ત્રણ વોર્ડના પ્રમુખ, કાઉન્સિલરો, હોદેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ટિફિન બેઠકમાં જોડાયા હતા

અને આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો. ઘણી મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના કાર્યકરો એકત્ર થયા હતા.

આ ટિફિન બેઠકમાં મહાનુભાવો, આગેવાનો અને કાર્યકરોએ બુથને મજબૂત કરવા અને સરકારના વિકાસના કામોને પ્રજા સુધી લઈ જવા પર ભાર મુક્યો હતો.

શહેરના વિકાસના કામો કઈ રીતે વધુ કરી શકાય તે માટે પણ ચર્ચા વિચારણા કરી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતો કઈ રીતે મળે તે માટે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને માહિતગાર કરાયા હતા.

લોકસભા ચૂંટણી પહેલા બીજેપી દરેક મોરચે વિપક્ષને મ્હાત આપવા કમર કસી રહી છે.
નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ (ભગત)નો ફરી એકવાર કોમનમેન અવતાર જોવા મળ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...