Thursday, January 8, 2026

નારણપુરા વિધાનસભામાં યોજાઈ ટિફિન બેઠક, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાર્યકર્તાઓ સાથે લીધુ ભોજન, જુઓ તસવીરો

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા વિધાનસભામાં રવિવારે સાંજે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુ ભગત, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય સહીત મહાનુભાવોએ ઘરેથી ટિફિન લઈને આવેલા કાર્યકર્તાઓ સાથે બેસીને ભોજન લીધું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે સાંજે જુના વાડજ ખાતે આવેલ દુઘનાથ મહાદેવ હોલ ખાતે યોજાયેલ ટિફિન બેઠકમાં નારણપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકત્ર થયા હતા.

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્રપ્રધાન તેમજ પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા પણ ઉપસ્થિત થયા હતા અને નારણપુરા વિધાનસભા હેઠળ આવતા ત્રણ વોર્ડના પ્રમુખ, કાઉન્સિલરો, હોદેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ટિફિન બેઠકમાં જોડાયા હતા

અને આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ યોજ્યો હતો. ઘણી મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના કાર્યકરો એકત્ર થયા હતા.

આ ટિફિન બેઠકમાં મહાનુભાવો, આગેવાનો અને કાર્યકરોએ બુથને મજબૂત કરવા અને સરકારના વિકાસના કામોને પ્રજા સુધી લઈ જવા પર ભાર મુક્યો હતો.

શહેરના વિકાસના કામો કઈ રીતે વધુ કરી શકાય તે માટે પણ ચર્ચા વિચારણા કરી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતો કઈ રીતે મળે તે માટે આગેવાનો દ્વારા કાર્યકર્તાઓને માહિતગાર કરાયા હતા.

લોકસભા ચૂંટણી પહેલા બીજેપી દરેક મોરચે વિપક્ષને મ્હાત આપવા કમર કસી રહી છે.
નારણપુરાના ધારાસભ્ય જીતુ પટેલ (ભગત)નો ફરી એકવાર કોમનમેન અવતાર જોવા મળ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...