Saturday, April 25, 2026

Iskcon Bridge Accident Case : મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારે આટલા લાખનું વળતર માગ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં મૃતકોમાંના એક હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણના પરિવારજનોએ જગુઆરના માલિક અને ટાટા AIG જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી ૭૫ લાખ રૂપિયાના વળતરની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત, આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવક દ્વારા પણ સારવારમાં થયેલા જંગી ખર્ચ અને અન્ય આર્થિક નુક્સાનનો હવાલો આપીને 1 કરોડ રૂપિયાનું વળતર માગવામાં આવ્યું છે. આ મામલે મૃતકના પરિવારે અમદાવાદની કોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે કારના માલિક, ડ્રાઈવર, અને વીમા કંપની સામે સમન્સ કાઢીને આગામી દિવસોમાં સુનાવણી માટે રાખી છે.

મીડીયા રિપોર્ટ મુજબ, અકસ્માતમાં જે નવ લોકોના મોત થયા હતા તેમાં માત્ર હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણના પત્ની રમીલાબેન ચૌહાણ દ્વારા મોટર એક્સિડન્ટ ક્લેઈમ માટે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ પિટિશન ફાઈલ કરવામાં આવી છે. આ સિવાય તથ્યની કારની અડફેટે આવીને ઘાયલ થયેલા અન્ય ચાર લોકોએ વળતર માટે ડિમાન્ડ કરી છે, જેમાં મનીષ દેસાઈ, જયશિવસિંહ રાજ, જય ચૌહાણ અને નારાયણ ગુર્જરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત તથ્યએ જે કારથી અકસ્માત સર્જયો હતો તે વ્હાઈટ જગુઆર ક્રિશ વરિયાના નામે હતી, જે પ્રજ્ઞેશ પટેલનો મિત્ર અને બિઝનેસ પાર્ટનર છે. જે લોકો પાસેથી વળતર માગવામાં આવ્યું છે તેમાં ક્રિશ વરિયા ઉપરાંત તથ્ય પટેલ અને ઈન્શ્યોરન્સ કંપનીનો પણ સમાવેશ થાય છે. અરજદારો વતી એડવોકેટ પ્રકાશ મેંઢા અને પી.સી. ઠાકોર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેમાં આ અકસ્માતને કારણે તેમને કેટલું નુક્સાન થયું છે તેને લગતા દસ્તાવેજ પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે.

આ અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જેુગુઆર કાર બેદરકારીથી ચલાવીને અડફેટે લઈને અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોની આવક અને કાલ્પનિક નુકસાન તેમજ તેમની સારવાર પર થયેલા ખર્ચ અંગેના દસ્તાવેજો સામેલ કરીને જુદી જુદી રકમ વળતર મેળવવા માટે દાદ માંગી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...