Sunday, January 25, 2026

Iskcon Bridge Accident Case : મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારે આટલા લાખનું વળતર માગ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં મૃતકોમાંના એક હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણના પરિવારજનોએ જગુઆરના માલિક અને ટાટા AIG જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી ૭૫ લાખ રૂપિયાના વળતરની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત, આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવક દ્વારા પણ સારવારમાં થયેલા જંગી ખર્ચ અને અન્ય આર્થિક નુક્સાનનો હવાલો આપીને 1 કરોડ રૂપિયાનું વળતર માગવામાં આવ્યું છે. આ મામલે મૃતકના પરિવારે અમદાવાદની કોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે કારના માલિક, ડ્રાઈવર, અને વીમા કંપની સામે સમન્સ કાઢીને આગામી દિવસોમાં સુનાવણી માટે રાખી છે.

મીડીયા રિપોર્ટ મુજબ, અકસ્માતમાં જે નવ લોકોના મોત થયા હતા તેમાં માત્ર હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણના પત્ની રમીલાબેન ચૌહાણ દ્વારા મોટર એક્સિડન્ટ ક્લેઈમ માટે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ પિટિશન ફાઈલ કરવામાં આવી છે. આ સિવાય તથ્યની કારની અડફેટે આવીને ઘાયલ થયેલા અન્ય ચાર લોકોએ વળતર માટે ડિમાન્ડ કરી છે, જેમાં મનીષ દેસાઈ, જયશિવસિંહ રાજ, જય ચૌહાણ અને નારાયણ ગુર્જરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત તથ્યએ જે કારથી અકસ્માત સર્જયો હતો તે વ્હાઈટ જગુઆર ક્રિશ વરિયાના નામે હતી, જે પ્રજ્ઞેશ પટેલનો મિત્ર અને બિઝનેસ પાર્ટનર છે. જે લોકો પાસેથી વળતર માગવામાં આવ્યું છે તેમાં ક્રિશ વરિયા ઉપરાંત તથ્ય પટેલ અને ઈન્શ્યોરન્સ કંપનીનો પણ સમાવેશ થાય છે. અરજદારો વતી એડવોકેટ પ્રકાશ મેંઢા અને પી.સી. ઠાકોર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેમાં આ અકસ્માતને કારણે તેમને કેટલું નુક્સાન થયું છે તેને લગતા દસ્તાવેજ પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે.

આ અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જેુગુઆર કાર બેદરકારીથી ચલાવીને અડફેટે લઈને અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોની આવક અને કાલ્પનિક નુકસાન તેમજ તેમની સારવાર પર થયેલા ખર્ચ અંગેના દસ્તાવેજો સામેલ કરીને જુદી જુદી રકમ વળતર મેળવવા માટે દાદ માંગી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...