Wednesday, March 4, 2026

Iskcon Bridge Accident Case : મૃતક હેડ કોન્સ્ટેબલના પરિવારે આટલા લાખનું વળતર માગ્યું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં મૃતકોમાંના એક હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણના પરિવારજનોએ જગુઆરના માલિક અને ટાટા AIG જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી ૭૫ લાખ રૂપિયાના વળતરની ડિમાન્ડ કરી છે. આ ઉપરાંત, આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક યુવક દ્વારા પણ સારવારમાં થયેલા જંગી ખર્ચ અને અન્ય આર્થિક નુક્સાનનો હવાલો આપીને 1 કરોડ રૂપિયાનું વળતર માગવામાં આવ્યું છે. આ મામલે મૃતકના પરિવારે અમદાવાદની કોર્ટમાં અરજી કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કોર્ટે કારના માલિક, ડ્રાઈવર, અને વીમા કંપની સામે સમન્સ કાઢીને આગામી દિવસોમાં સુનાવણી માટે રાખી છે.

મીડીયા રિપોર્ટ મુજબ, અકસ્માતમાં જે નવ લોકોના મોત થયા હતા તેમાં માત્ર હેડ કોન્સ્ટેબલ જશવંતસિંહ ચૌહાણના પત્ની રમીલાબેન ચૌહાણ દ્વારા મોટર એક્સિડન્ટ ક્લેઈમ માટે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ પિટિશન ફાઈલ કરવામાં આવી છે. આ સિવાય તથ્યની કારની અડફેટે આવીને ઘાયલ થયેલા અન્ય ચાર લોકોએ વળતર માટે ડિમાન્ડ કરી છે, જેમાં મનીષ દેસાઈ, જયશિવસિંહ રાજ, જય ચૌહાણ અને નારાયણ ગુર્જરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત તથ્યએ જે કારથી અકસ્માત સર્જયો હતો તે વ્હાઈટ જગુઆર ક્રિશ વરિયાના નામે હતી, જે પ્રજ્ઞેશ પટેલનો મિત્ર અને બિઝનેસ પાર્ટનર છે. જે લોકો પાસેથી વળતર માગવામાં આવ્યું છે તેમાં ક્રિશ વરિયા ઉપરાંત તથ્ય પટેલ અને ઈન્શ્યોરન્સ કંપનીનો પણ સમાવેશ થાય છે. અરજદારો વતી એડવોકેટ પ્રકાશ મેંઢા અને પી.સી. ઠાકોર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેમાં આ અકસ્માતને કારણે તેમને કેટલું નુક્સાન થયું છે તેને લગતા દસ્તાવેજ પણ કોર્ટ સમક્ષ રજૂ કરાયા છે.

આ અરજીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જેુગુઆર કાર બેદરકારીથી ચલાવીને અડફેટે લઈને અકસ્માત કર્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્તોની આવક અને કાલ્પનિક નુકસાન તેમજ તેમની સારવાર પર થયેલા ખર્ચ અંગેના દસ્તાવેજો સામેલ કરીને જુદી જુદી રકમ વળતર મેળવવા માટે દાદ માંગી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...