Wednesday, September 17, 2025

અમદાવાદીઓ સાવધાન, આ પિઝા સેન્ટરમાં બોક્સ ખોલતા જ 10-15 જીવડા નીકળ્યા, પિઝા સેન્ટરને સીલ કરાયું

Share

Share

અમદાવાદ : અમદાવાદીઓ ખાવાના શોખીન હોય છે. જેના પગલે હોટલ અને રેસ્ટોરાંમાં જઈ પિઝા આરોગતા હોય છે. પરંતુ અનેક હોટલ અને રેસ્ટોરાંમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. અમદાવાદના બોપલ વિસ્તાર બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપિનોઝ પિઝામાંથી જીવાત નીકળી હતી. આ મામલે તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પોલીસને જાણ કરતાં પોલીસ પણ ત્યાં પહોંચી હતી. સ્ટાફ દ્વારા તેને રિફંડ આપવાની વાત કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપિનોઝ પિઝામાં ગુરૂવારે બપોરે એક યુવક તેના મિત્રો સાથે પિઝા ખાવા માટે ગયો હતો. ત્યારે ઓર્ડર પ્રમાણે મંગાવેલા પિઝા આપવામાં આવ્યા હતા. જોકે, આ પિઝાનું બોક્સ ખોલતા જ તેમાંથી જીવતા જીવાત નીકળ્યા હતા. યુવકે તાત્કાલિક આ અંગે સ્ટાફને જાણ કરી હતી.તેમણે પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી અને પિત્ઝા પાછો લઈ લીધો હતો. તેમણે અમને રિફંડ આપવાની વાત કરી હતી, પરંતુ આ મામલે પોલીસ અને કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી હતી, જેથી પોલીસ આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી સામે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે,. કારણ કે આવા મોટા બ્રાન્ડેડ કંપનીના પિત્ઝા સેન્ટરોમાં આવરનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. હોટલના રસોડાઓમાં પણ ગંદકી હોય છે છતાં પણ ત્યાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો માત્ર સામાન્ય દંડ લઈને કાર્યવાહી કરી હોવાનું બતાવી દે છે, પરંતુ જે રીતે કડક કાર્યવાહી અને ચેકિંગ થવું જોઇએ એ કરવામાં આવતું નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બોપલ વિસ્તારમાં આવેલા પાપા લુઇસ પિઝા સેન્ટરમાં જીવાત નિકળ્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ફરી આજે પિઝામાંથી જીવાત નિકળ્યાનો બનાવ સામે આવ્યો છે. જેના પગલે કહી શકાયા કે, શેહરમાં અનેક હોટલ-રેસ્ટોરાં અને કાફેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...