Sunday, January 25, 2026

અમદાવાદીઓ સાવધાન, આ પિઝા સેન્ટરમાં બોક્સ ખોલતા જ 10-15 જીવડા નીકળ્યા, પિઝા સેન્ટરને સીલ કરાયું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ ખાવાના શોખીન હોય છે. જેના પગલે હોટલ અને રેસ્ટોરાંમાં જઈ પિઝા આરોગતા હોય છે. પરંતુ અનેક હોટલ અને રેસ્ટોરાંમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. અમદાવાદના બોપલ વિસ્તાર બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપિનોઝ પિઝામાંથી જીવાત નીકળી હતી. આ મામલે તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પોલીસને જાણ કરતાં પોલીસ પણ ત્યાં પહોંચી હતી. સ્ટાફ દ્વારા તેને રિફંડ આપવાની વાત કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપિનોઝ પિઝામાં ગુરૂવારે બપોરે એક યુવક તેના મિત્રો સાથે પિઝા ખાવા માટે ગયો હતો. ત્યારે ઓર્ડર પ્રમાણે મંગાવેલા પિઝા આપવામાં આવ્યા હતા. જોકે, આ પિઝાનું બોક્સ ખોલતા જ તેમાંથી જીવતા જીવાત નીકળ્યા હતા. યુવકે તાત્કાલિક આ અંગે સ્ટાફને જાણ કરી હતી.તેમણે પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી અને પિત્ઝા પાછો લઈ લીધો હતો. તેમણે અમને રિફંડ આપવાની વાત કરી હતી, પરંતુ આ મામલે પોલીસ અને કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી હતી, જેથી પોલીસ આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી સામે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે,. કારણ કે આવા મોટા બ્રાન્ડેડ કંપનીના પિત્ઝા સેન્ટરોમાં આવરનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. હોટલના રસોડાઓમાં પણ ગંદકી હોય છે છતાં પણ ત્યાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો માત્ર સામાન્ય દંડ લઈને કાર્યવાહી કરી હોવાનું બતાવી દે છે, પરંતુ જે રીતે કડક કાર્યવાહી અને ચેકિંગ થવું જોઇએ એ કરવામાં આવતું નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બોપલ વિસ્તારમાં આવેલા પાપા લુઇસ પિઝા સેન્ટરમાં જીવાત નિકળ્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ફરી આજે પિઝામાંથી જીવાત નિકળ્યાનો બનાવ સામે આવ્યો છે. જેના પગલે કહી શકાયા કે, શેહરમાં અનેક હોટલ-રેસ્ટોરાં અને કાફેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...