Wednesday, April 22, 2026

અમદાવાદીઓ સાવધાન, આ પિઝા સેન્ટરમાં બોક્સ ખોલતા જ 10-15 જીવડા નીકળ્યા, પિઝા સેન્ટરને સીલ કરાયું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ ખાવાના શોખીન હોય છે. જેના પગલે હોટલ અને રેસ્ટોરાંમાં જઈ પિઝા આરોગતા હોય છે. પરંતુ અનેક હોટલ અને રેસ્ટોરાંમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. અમદાવાદના બોપલ વિસ્તાર બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપિનોઝ પિઝામાંથી જીવાત નીકળી હતી. આ મામલે તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પોલીસને જાણ કરતાં પોલીસ પણ ત્યાં પહોંચી હતી. સ્ટાફ દ્વારા તેને રિફંડ આપવાની વાત કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપિનોઝ પિઝામાં ગુરૂવારે બપોરે એક યુવક તેના મિત્રો સાથે પિઝા ખાવા માટે ગયો હતો. ત્યારે ઓર્ડર પ્રમાણે મંગાવેલા પિઝા આપવામાં આવ્યા હતા. જોકે, આ પિઝાનું બોક્સ ખોલતા જ તેમાંથી જીવતા જીવાત નીકળ્યા હતા. યુવકે તાત્કાલિક આ અંગે સ્ટાફને જાણ કરી હતી.તેમણે પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી અને પિત્ઝા પાછો લઈ લીધો હતો. તેમણે અમને રિફંડ આપવાની વાત કરી હતી, પરંતુ આ મામલે પોલીસ અને કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી હતી, જેથી પોલીસ આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી સામે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે,. કારણ કે આવા મોટા બ્રાન્ડેડ કંપનીના પિત્ઝા સેન્ટરોમાં આવરનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. હોટલના રસોડાઓમાં પણ ગંદકી હોય છે છતાં પણ ત્યાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો માત્ર સામાન્ય દંડ લઈને કાર્યવાહી કરી હોવાનું બતાવી દે છે, પરંતુ જે રીતે કડક કાર્યવાહી અને ચેકિંગ થવું જોઇએ એ કરવામાં આવતું નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બોપલ વિસ્તારમાં આવેલા પાપા લુઇસ પિઝા સેન્ટરમાં જીવાત નિકળ્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ફરી આજે પિઝામાંથી જીવાત નિકળ્યાનો બનાવ સામે આવ્યો છે. જેના પગલે કહી શકાયા કે, શેહરમાં અનેક હોટલ-રેસ્ટોરાં અને કાફેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...