Sunday, November 9, 2025

અમદાવાદીઓ સાવધાન, આ પિઝા સેન્ટરમાં બોક્સ ખોલતા જ 10-15 જીવડા નીકળ્યા, પિઝા સેન્ટરને સીલ કરાયું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ ખાવાના શોખીન હોય છે. જેના પગલે હોટલ અને રેસ્ટોરાંમાં જઈ પિઝા આરોગતા હોય છે. પરંતુ અનેક હોટલ અને રેસ્ટોરાંમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. અમદાવાદના બોપલ વિસ્તાર બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપિનોઝ પિઝામાંથી જીવાત નીકળી હતી. આ મામલે તેણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને પોલીસને જાણ કરતાં પોલીસ પણ ત્યાં પહોંચી હતી. સ્ટાફ દ્વારા તેને રિફંડ આપવાની વાત કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લાપિનોઝ પિઝામાં ગુરૂવારે બપોરે એક યુવક તેના મિત્રો સાથે પિઝા ખાવા માટે ગયો હતો. ત્યારે ઓર્ડર પ્રમાણે મંગાવેલા પિઝા આપવામાં આવ્યા હતા. જોકે, આ પિઝાનું બોક્સ ખોલતા જ તેમાંથી જીવતા જીવાત નીકળ્યા હતા. યુવકે તાત્કાલિક આ અંગે સ્ટાફને જાણ કરી હતી.તેમણે પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી અને પિત્ઝા પાછો લઈ લીધો હતો. તેમણે અમને રિફંડ આપવાની વાત કરી હતી, પરંતુ આ મામલે પોલીસ અને કોર્પોરેશનમાં પણ ફરિયાદ કરી હતી, જેથી પોલીસ આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગની કામગીરી સામે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે,. કારણ કે આવા મોટા બ્રાન્ડેડ કંપનીના પિત્ઝા સેન્ટરોમાં આવરનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. હોટલના રસોડાઓમાં પણ ગંદકી હોય છે છતાં પણ ત્યાં કોઈપણ પ્રકારની કાર્યવાહી થતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો માત્ર સામાન્ય દંડ લઈને કાર્યવાહી કરી હોવાનું બતાવી દે છે, પરંતુ જે રીતે કડક કાર્યવાહી અને ચેકિંગ થવું જોઇએ એ કરવામાં આવતું નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બોપલ વિસ્તારમાં આવેલા પાપા લુઇસ પિઝા સેન્ટરમાં જીવાત નિકળ્યાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ફરી આજે પિઝામાંથી જીવાત નિકળ્યાનો બનાવ સામે આવ્યો છે. જેના પગલે કહી શકાયા કે, શેહરમાં અનેક હોટલ-રેસ્ટોરાં અને કાફેમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...