Friday, March 13, 2026

ગુજરાત હાઉસીંગ બોર્ડ સાંભળો, સૌથી વધારે જર્જરીત સોસાયટીઓને રિડેવલપમેન્ટમાં અગ્રતા જરૂરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજ સહિત સમગ્ર શહેરમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ (અલગ અલગ પ્રકારની વસાહતો) આવેલ છે, જેમાં અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી ત્રણ થી ચાર સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ શકી છે.અને અન્ય સાત થી આઠ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ સમગ્ર રિડેવલમેન્ટ પ્રક્રિયામાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે હાઉસીંગ બોર્ડ દ્વારા સૌથી વધુ જર્જરીત સોસાયટીઓને અગ્રતા આપવી જોઈએ.

પ્રાપ્ત વિગતો મુજબ ઉપર જણાવ્યા મુજબ અત્યાર સુધી ત્રણ થી ચાર સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ છે જયારે વધુ સાત થી આઠ સોસાયટીઓમાં રિડેવલમેન્ટ પ્રક્રિયા અલગ અલગ તબક્કામાં હોવાનું જાણવા મળ્યુ છે.પરંતુ સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે આમાંથી સૌથી વધુ જર્જરીત સોસાયટીઓ કેટલી ? જેમાં રહીશોના જીવ જોખમમાં હોઈ શકે ? અત્યાર સુધી જે સોસાયટીઓ રિડેવલમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ છે એ MIG કે HIG ગ્રુપની છે, (અહી અમો તેમને જણાવી દઈએ કે આ પ્રકારની સોસાયટીઓમાં રિડેવલમેન્ટના કાર્યમાં અમારો વિરોધ નથી, અમારો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે સાથે સાથે ખૂબ જર્જરીત છે એવી સોસાયટીઓનું રિડેવલમેન્ટનું કાર્ય ઝડપી થવું જોઈએ) જયારે મુખ્યત્વે ખુબ જ જર્જરીત સોસાયટીઓ એવી નારણપુરાના હરીઓમનગર, ગણેશ, શિવાલય કે શ્રીનગર સોસાયટીઓ કે જે LIG કે MLIG ગ્રુપની છે. આવી અનેક સોસાયટીઓના મકાન ખૂબ જુના હોવાને કારણે ખુબ જર્જરીત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે, સ્થાનિકો જીવના જોખમે વસી રહ્યાં છે.

સ્થાનિકોની ફરિયાદ મુજબ તેઓ રિડેવલમેન્ટ ઈચ્છી રહ્યા છે પરંતુ દરેક સોસાયટીઓમાં અલગ અલગ પ્રશ્નોને કારણે રિડેવલમેન્ટ અટકી રહ્યું છે, કયાંક કાગળો પુરતા નથી, કયાંક પૈસા ભરવાના બાકી છે, કયાંક વધારાના બાંધકામો નડી રહ્યા છે, તો કયાંક દસ્તાવેજ ન હોવાને કારણે સહિત અનેક પ્રશ્નોને કારણે આ સોસાયટીઓમાં રિડેવલમેન્ટનું કામ શરૂ થઈ શક્યું નથી.ત્યારે સ્થાનિક આગેવાન બિપીનભાઈ પટેલે માગણી કરતા જણાવ્યું છે કે નવા વાડજમાં હરીઓમ એપાર્ટમેન્ટ અને ગગન વિહાર એપાર્ટમેન્ટની જેમ જ આ પ્રકારના LIG, MLIG કે EWS જેવા ગરીબ અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે હાઉસીંગ બોર્ડ દ્વારા આવી હાઉસીંગ સોસાયટીઓના સીધા ટેન્ડર પાડી રિડેવલમેન્ટનું કામને સૌથી વધુ અગ્રતા આપી ઝડપી બનાવવુું જોઈએ.

અહીં અમો તમને જણાવી દઈએ કે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નવા વાડજની સૌથી વધુ જર્જરીત એવી હરીઓમ એપાર્ટમેન્ટ અને ગગનવિહાર એપારમેન્ટના સીધા ટેન્ડર પાડી જે કુનેહ બતાવી છે, જેને લઈને આગામી દિવસોમાં રિડેવલમેન્ટનું કાર્ય ઝડપી થશે એવી આશા અમો સેવી રહ્યા છે, જેના માટે મિર્ચી ન્યૂઝ પરિવાર ગુજરાત હાઉસીંગ બોર્ડનો આભાર વ્યક્ત કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...