Sunday, January 18, 2026

ગુજરાત હાઉસીંગ બોર્ડ સાંભળો, સૌથી વધારે જર્જરીત સોસાયટીઓને રિડેવલપમેન્ટમાં અગ્રતા જરૂરી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં નારણપુરા, સોલા અને નવા વાડજ સહિત સમગ્ર શહેરમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ (અલગ અલગ પ્રકારની વસાહતો) આવેલ છે, જેમાં અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી ત્રણ થી ચાર સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ શકી છે.અને અન્ય સાત થી આઠ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ સમગ્ર રિડેવલમેન્ટ પ્રક્રિયામાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે હાઉસીંગ બોર્ડ દ્વારા સૌથી વધુ જર્જરીત સોસાયટીઓને અગ્રતા આપવી જોઈએ.

પ્રાપ્ત વિગતો મુજબ ઉપર જણાવ્યા મુજબ અત્યાર સુધી ત્રણ થી ચાર સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ છે જયારે વધુ સાત થી આઠ સોસાયટીઓમાં રિડેવલમેન્ટ પ્રક્રિયા અલગ અલગ તબક્કામાં હોવાનું જાણવા મળ્યુ છે.પરંતુ સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે આમાંથી સૌથી વધુ જર્જરીત સોસાયટીઓ કેટલી ? જેમાં રહીશોના જીવ જોખમમાં હોઈ શકે ? અત્યાર સુધી જે સોસાયટીઓ રિડેવલમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ છે એ MIG કે HIG ગ્રુપની છે, (અહી અમો તેમને જણાવી દઈએ કે આ પ્રકારની સોસાયટીઓમાં રિડેવલમેન્ટના કાર્યમાં અમારો વિરોધ નથી, અમારો ઉદ્દેશ માત્ર એટલો જ છે કે સાથે સાથે ખૂબ જર્જરીત છે એવી સોસાયટીઓનું રિડેવલમેન્ટનું કાર્ય ઝડપી થવું જોઈએ) જયારે મુખ્યત્વે ખુબ જ જર્જરીત સોસાયટીઓ એવી નારણપુરાના હરીઓમનગર, ગણેશ, શિવાલય કે શ્રીનગર સોસાયટીઓ કે જે LIG કે MLIG ગ્રુપની છે. આવી અનેક સોસાયટીઓના મકાન ખૂબ જુના હોવાને કારણે ખુબ જર્જરીત હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે, સ્થાનિકો જીવના જોખમે વસી રહ્યાં છે.

સ્થાનિકોની ફરિયાદ મુજબ તેઓ રિડેવલમેન્ટ ઈચ્છી રહ્યા છે પરંતુ દરેક સોસાયટીઓમાં અલગ અલગ પ્રશ્નોને કારણે રિડેવલમેન્ટ અટકી રહ્યું છે, કયાંક કાગળો પુરતા નથી, કયાંક પૈસા ભરવાના બાકી છે, કયાંક વધારાના બાંધકામો નડી રહ્યા છે, તો કયાંક દસ્તાવેજ ન હોવાને કારણે સહિત અનેક પ્રશ્નોને કારણે આ સોસાયટીઓમાં રિડેવલમેન્ટનું કામ શરૂ થઈ શક્યું નથી.ત્યારે સ્થાનિક આગેવાન બિપીનભાઈ પટેલે માગણી કરતા જણાવ્યું છે કે નવા વાડજમાં હરીઓમ એપાર્ટમેન્ટ અને ગગન વિહાર એપાર્ટમેન્ટની જેમ જ આ પ્રકારના LIG, MLIG કે EWS જેવા ગરીબ અને ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે હાઉસીંગ બોર્ડ દ્વારા આવી હાઉસીંગ સોસાયટીઓના સીધા ટેન્ડર પાડી રિડેવલમેન્ટનું કામને સૌથી વધુ અગ્રતા આપી ઝડપી બનાવવુું જોઈએ.

અહીં અમો તમને જણાવી દઈએ કે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નવા વાડજની સૌથી વધુ જર્જરીત એવી હરીઓમ એપાર્ટમેન્ટ અને ગગનવિહાર એપારમેન્ટના સીધા ટેન્ડર પાડી જે કુનેહ બતાવી છે, જેને લઈને આગામી દિવસોમાં રિડેવલમેન્ટનું કાર્ય ઝડપી થશે એવી આશા અમો સેવી રહ્યા છે, જેના માટે મિર્ચી ન્યૂઝ પરિવાર ગુજરાત હાઉસીંગ બોર્ડનો આભાર વ્યક્ત કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...