અમદાવાદ : શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. કૂતરાઓના કારણે રોજ અનેક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. કૂતરાં કરડવાના રોજના ત્રણથી ચાર કેસો સામે આવતા હોય છે, ત્યારે સરખેજ વોર્ડના ફતેહવાડી વિસ્તારમાં 11 વર્ષની નાની ઉંમરના બાળકને એક સાથે અનેક શ્વાનોએ તેના શરીરે અનેક જગ્યાએ બચકા ભરીને લોહીલુહાણ કરેલ હતો. આમ વિવિધ ગંભીર બનાવો પાનના ત્રાસને કારણે અમદાવાદ શહેરમાં બનવા પામેલ હતાં. જેને લઇે સ્થાનીકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કૂતરા કરડવાની ઘટનાઓમા સતત વધારો થયેલો જોવા મળી રહયો છે. અનેક એવા વિસ્તારો એવા છે કે જયાં રાત પડતાની સાથે રખડતા કૂતરા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને કરડતા હોય છે. આ પ્રકારના કૂતરાને પકડવા જે તે વિસ્તારના રહીશો તરફથી ઓનલાઈન ફરિયાદ કરવામા આવ્યા બાદ પણ કૂતરા પકડવા કોઈ કામગીરી કરવામા આવતી નથી. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાંથી રખડતા કૂતરા પકડવામા આવ્યા બાદ ફરી પાછા એ જ સ્થળે પાછા છોડી દેવામા આવતા હોવાથી સમસ્યા ઠેરની ઠેર છે.
અમદાવાદમાં કૂતરા કરડવાના વધતા જતા બનાવની વચ્ચે 1.17 લાખથી વધુ કૂતરાના ખસીકરણ માટે દસ કરોડથી વધુની રકમનો ખર્ચ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામા આવ્યો છે. એક કૂતરાના ખસીકરણ માટે 930 રુપિયા ખાનગી સંસ્થાને ચૂકવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં શ્વાનનું ખસીકરણ કરવા સને 2020-21 માં 2.30 કરોડ, સને 2021-22 માં 2.56 કરોડ અને સને 2022-23 માં 4.50 કરોડ મળી કુલ રૂા.9.36 કરોડનો ખર્ચ કરેલ છે. તેમ છતાં અમદાવાદ શહેરમાં શ્વાનના ત્રાસ બાબતે વિવિધ બનાવો સતત વધી રહ્યા છે એને લાપરવાહી સમજવી કે ભ્રસ્ટાચાર ?
કૂતરું કરડવાના સને 2020 માં 52318 કેસો, છેલ્લા ત્રણ વર્ષમાં સને 2021 માં 51812 કેસો સને 2022 માં 59513 કેસો મળી કુલ 163643 કેસો માત્ર મ્યુનિ. હોસ્પિટલોમાં નોંધાવા પામેલ છે.


