Wednesday, September 17, 2025

નારણપુરા અને સાબરમતીના ધારાસભ્યો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમો યોજાયા

Share

Share

અમદાવાદ : શહેરના નારણપુરા અને સાબરમતી મત વિસ્તારના ધારાસભ્યો દ્વારા નૂતન વર્ષ નિમિત્તે વિશિષ્ટ સ્નેહ મિલનનો જાજરમાન કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં શુભ ચિંતકો સાથે સ્થાનિકથી અઢારે આલમના હજારો લોકોએ ખાસ ઉપસ્થિત રહી બંને ધારાસભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રભારી મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે શહેરના નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ (ભગત) દ્વારા નૂતન વર્ષ નિમિત્તે નવા વાડજમાં ધાવડી ફાર્મ ખાતે અને સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ દ્વારા પણ નૂતન વર્ષ નિમિત્તે ન્યુ રાણીપ ખાતે આવેલ કમુબા પાર્ટી પ્લોટ ખાતે વિશિષ્ટ સ્નેહ મિલનનો જાજરમાન કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં આવેલ મ્યુ કાઉન્સિલરો, ભાજપના હોદેદારો, સોસાયટીના આગેવાનો તથા વેપારી આલમના સભ્યો સહિતના મહાનુભાવો, વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રભારી મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવવા સાથે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની મનોકામના વ્યક્ત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...