Monday, February 16, 2026

નારણપુરા અને સાબરમતીના ધારાસભ્યો દ્વારા સ્નેહમિલન કાર્યક્રમો યોજાયા

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરા અને સાબરમતી મત વિસ્તારના ધારાસભ્યો દ્વારા નૂતન વર્ષ નિમિત્તે વિશિષ્ટ સ્નેહ મિલનનો જાજરમાન કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં શુભ ચિંતકો સાથે સ્થાનિકથી અઢારે આલમના હજારો લોકોએ ખાસ ઉપસ્થિત રહી બંને ધારાસભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શહેર ભાજપ પ્રભારી મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે શહેરના નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ (ભગત) દ્વારા નૂતન વર્ષ નિમિત્તે નવા વાડજમાં ધાવડી ફાર્મ ખાતે અને સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ દ્વારા પણ નૂતન વર્ષ નિમિત્તે ન્યુ રાણીપ ખાતે આવેલ કમુબા પાર્ટી પ્લોટ ખાતે વિશિષ્ટ સ્નેહ મિલનનો જાજરમાન કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે સમગ્ર વિધાનસભા વિસ્તારમાં આવેલ મ્યુ કાઉન્સિલરો, ભાજપના હોદેદારો, સોસાયટીના આગેવાનો તથા વેપારી આલમના સભ્યો સહિતના મહાનુભાવો, વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શહેર ભાજપ પ્રભારી મંત્રી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવવા સાથે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયની મનોકામના વ્યક્ત કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...