Sunday, February 15, 2026

અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, પાયાના કાર્યકર્તાઓને મળી મહત્વની જવાબદારીઓ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનની જાહેરાત બાદ એક બાદ એક શહેર અને જિલ્લાઓમાં સંગઠનની જાહેરાત શરૂ કરી દીધી છે. ત્યારે અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને પ્રદેશ મોવડી મંડળ સાથે વિગતવાર ચર્ચા-વિચારણા બાદ મહાનગર પ્રમુખ પ્રેરક શાહ દ્વારા આ નવી ટીમની વરણી કરવામાં આવી છે.

આ નવી યાદીમાં શહેરના વિવિધ વોર્ડમાંથી પાયાના કાર્યકર્તાઓ અને અનુભવી નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. કુલ 22 સભ્યોની આ ટીમમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 7 મંત્રીઓનો સમાવેશ છે. આ ઉપરાંત, 1 કોષાધ્યક્ષ, 1 કાર્યાલય મંત્રી અને 1 સહ કાર્યાલય મંત્રીની નિમણૂક કરવામાં આવી છે. સોશિયલ મીડિયા વિભાગ, આઈ.ટી. વિભાગ અને મીડિયા વિભાગમાં પણ ઇન્ચાર્જ તેમજ સહ-ઇન્ચાર્જની જવાબદારીઓ સોંપાઈ છે. વધુમાં, યુવા મોરચા, મહિલા મોરચા, કિસાન મોરચા અને બક્ષીપંચ મોરચામાં પ્રમુખ અને મહામંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.

આ ફેરફારો પાર્ટીના ‘સંગઠન પર્વ’ કાર્યક્રમના ભાગરૂપે જોવામાં આવે છે, જે ભાજપના લોકશાહી મૂલ્યો, અનુશાસન અને કાર્યકર્તા-કેન્દ્રિત અભિગમને પ્રતિબિંબિત કરે છે. અગાઉ, 28 ડિસેમ્બર, 2025માં રાજ્ય કક્ષાએ 35 નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 8 મહિલાઓનો સમાવેશ હતો. ત્યારબાદ 19 જાન્યુઆરી, 2026માં રાજ્ય કાર્યકારી સમિતિના 106 સભ્યોની યાદી જાહેર કરાઈ હતી. આ તમામ પગલાં આગામી નગરપાલિકા અને વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે, જેમાં પાર્ટી યુવા નેતૃત્વ અને વર્ગીય સંતુલન પર ભાર મૂકી રહી છે.

આ નવી રચના અમદાવાદમાં ભાજપની આંતરિક ગતિશીલતાને મજબૂત કરશે અને બૂથ સ્તરની કાર્યક્ષમતા વધારશે. પાર્ટીના સૂત્રો અનુસાર, આ બદલાવો સરકાર અને સંગઠન બંનેમાં અસર કરશે, જેમાં કેબિનેટમાં પણ રીશફલની શક્યતા છે. આ જાહેરાત ગુજરાત ભાજપના વિસ્તરણ અને મજબૂતીકરણના પ્રયાસોનું મહત્વનું પગલું છે અને હવે જોવું રહ્યું કે આગામી સમયમાં આવનારું અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનની ચૂંટણી અને વિધાનસભામાં આ સંગઠન ની કામગીરી કેવી રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...