Wednesday, March 4, 2026

અમદાવાદ સહીત અનેક શહેરોમાં સ્ટેટ GST વિભાગના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સ્ટેટ GST વિભાગના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. જે અંતર્ગત કર્મચારીઓએ સરકાર સામે કાળી પટ્ટી અને રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.જેમાં કલાર્ક, ઇન્સ્પેકટર, જોઇન્ટ કમિશનર, ડે-કમિશનર આંદોલનમાં જોડાયા છે. મુખ્ય માગણીમાં પ્રમોશન આપવાની જગ્યાએ IRS ને તે જગ્યા અપાય છે. ઉપરાંત પ્રમોશન ન મળવા અને પગાર ધોરણમાં વિસંગતિ મુખ્ય માગણી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં પણ GST વિભાગના કર્મચારીઓએ સરકાર સામે કાળી પટ્ટી અને રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ 3 જેટલા અલગ અલગ મુદ્દાઓને લઈને હાથ ધરવામા આવ્યુ હતું. જેમાં GST વિભાગના તમામ કેડર અધિકારીઓને સમયસર પ્રમોશન આપવામાં આવે અને કમિશનરની જગ્યાઓ ઊભી કરી યોગ્ય બઢતી આપવી.

આ સાથે જ GST વિભાગના સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના સિનિયર અધિકારીઓ ભરતી મેળવવા પાત્ર હોવા છતાં તેમની લાંબા સમયથી અવગણના કરીને અન્ય કેડરમાંથી અધિકારીઓને મૂકવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા GSTના વર્ગ 1 થી લઈ વર્ગ 3 સુધીના કર્મચારીઓને પે ગ્રેડ પણ ઓછો આપવામાં આવે છે જેને વધારવાની માંગને લઈને GST ઓફિસ ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત માંગણીઓને લઈને GST વિભાગના તમામ કેડરમાં અધિકારી -કર્મચારીઓમાં ખૂબ જ નારાજગી પ્રવર્તી રહી છે. આ અગાઉ સરકારને વખતોવખત કરાયેલી રજુઆતો પર કોઈ કાર્યવાહી આજદીન સુધી કોઈ કાર્યવાહી કે પગલાં લેવામાં ન આવતા ના છૂટકે અંતિમ પ્રયાસ તરીકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે.

ઉપરોક્ત માંગણીઓને લઈને આજે સ્ટેટ GST વિભાગના કર્મચારીઓ-અધિકારીઓએ અમદાવાદ, બરોડા, રાજકોટ, ભાવનગર સહીત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...