Monday, January 19, 2026

અમદાવાદ સહીત અનેક શહેરોમાં સ્ટેટ GST વિભાગના કર્મચારીઓનું વિરોધ પ્રદર્શન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં સ્ટેટ GST વિભાગના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. જે અંતર્ગત કર્મચારીઓએ સરકાર સામે કાળી પટ્ટી અને રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.જેમાં કલાર્ક, ઇન્સ્પેકટર, જોઇન્ટ કમિશનર, ડે-કમિશનર આંદોલનમાં જોડાયા છે. મુખ્ય માગણીમાં પ્રમોશન આપવાની જગ્યાએ IRS ને તે જગ્યા અપાય છે. ઉપરાંત પ્રમોશન ન મળવા અને પગાર ધોરણમાં વિસંગતિ મુખ્ય માગણી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં પણ GST વિભાગના કર્મચારીઓએ સરકાર સામે કાળી પટ્ટી અને રામધૂન બોલાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ 3 જેટલા અલગ અલગ મુદ્દાઓને લઈને હાથ ધરવામા આવ્યુ હતું. જેમાં GST વિભાગના તમામ કેડર અધિકારીઓને સમયસર પ્રમોશન આપવામાં આવે અને કમિશનરની જગ્યાઓ ઊભી કરી યોગ્ય બઢતી આપવી.

આ સાથે જ GST વિભાગના સંયુક્ત રાજ્ય વેરા કમિશનર કક્ષાના સિનિયર અધિકારીઓ ભરતી મેળવવા પાત્ર હોવા છતાં તેમની લાંબા સમયથી અવગણના કરીને અન્ય કેડરમાંથી અધિકારીઓને મૂકવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા GSTના વર્ગ 1 થી લઈ વર્ગ 3 સુધીના કર્મચારીઓને પે ગ્રેડ પણ ઓછો આપવામાં આવે છે જેને વધારવાની માંગને લઈને GST ઓફિસ ખાતે ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન હાથ ધરવામાં આવ્યું હતું.

ઉપરોક્ત માંગણીઓને લઈને GST વિભાગના તમામ કેડરમાં અધિકારી -કર્મચારીઓમાં ખૂબ જ નારાજગી પ્રવર્તી રહી છે. આ અગાઉ સરકારને વખતોવખત કરાયેલી રજુઆતો પર કોઈ કાર્યવાહી આજદીન સુધી કોઈ કાર્યવાહી કે પગલાં લેવામાં ન આવતા ના છૂટકે અંતિમ પ્રયાસ તરીકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે.

ઉપરોક્ત માંગણીઓને લઈને આજે સ્ટેટ GST વિભાગના કર્મચારીઓ-અધિકારીઓએ અમદાવાદ, બરોડા, રાજકોટ, ભાવનગર સહીત અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...