Sunday, March 1, 2026

…તો ઉખાડી ફેકી દો, તમારા એસોસિયેશનને અને રિડેવલપમેન્ટમાં આગળ વધો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલી રિડેવલપમેન્ટ પોલીસીમાં હજુ ઘણીય ખામીઓ છે, જેનું મુખ્ય કારણ પોલીસીમાં કુલ ૭૫ ટકા લોકોની સહમતી માંગવામાં આવી છે, જે પછી ખાનગી સોસાયટીઓ હોય કે પછી હાઉસીંગ બોર્ડની કોલોનીઓ હોય…

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં ખાનગી અને હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ અત્યારે જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે, જેમાં મોટાભાગની સોસાયટીઓમાં બહુમત સભ્યો રિડેવલપમેન્ટ ઈચ્છી રહ્યા છે કારણ કે રિડેવલમેન્ટ પછી મકાનધારકને જુની જ જગ્યાએ નવુ અને આધુનિક સુવિધાઓ વાળુ નવુ મકાન મળી રહ્યું છે.અને રિડેવલપમેન્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે જર્જરીત બાંધકામો ગમે ત્યારે સ્લેબ તૂટે, ટાંકી તૂટે એવા ભયમાં લોકો જીવી રહ્યા છે ત્યારે રિડેવલપમેન્ટ એક માત્ર ઉકેલ છે તમારા જાનમાલનું રક્ષણ કરવાનું.

સૌ પ્રથમ ખાનગી સોસાયટીઓની વાત કરીએ તો રિડેવલપમેન્ટની કરવાની સૌથી મોટી જવાબદારી સોસાયટીના એસોસિયેશનના માથે હોય છે, પરંતુ મોટાભાગની સોસાયટી જર્જરીત હોવા છતાં અને સોસાયટીના બહુમત સભ્યો ઈચ્છતા હોવા છતાં કેટલાંક એસોસિયેશન હોદ્દેદારો સભ્યો કે બે ચાર લોકો વ્યક્તિગત સ્વાર્થમાં જરુરિયાતમંદ લોકોની તકલીફોને સમજતા નથી અને રિડેવલોપમેન્ટ કામમાં વિરોધ કરી રોડા નાખતા હોય છે. વર્તમાન સમયમાં આ પ્રશ્ન અનેક ખાનગી સોસાયટીઓમાં જોવા મળી રહ્યો છે, જેનો એક માત્ર ઈલાજ છે કે જો સોસાયટીનો મોટો હિસ્સો જર્જરીત હોય અને બહુમત સભ્યો રિડેવલપમેન્ટ ઈચ્છતા હોય તો આવા એસોેેેેસિયેશન કે આવા સભ્યોને દુર કરી દેવા જરૂરી બની જાય છે. કારણ કે જર્જરીત ભયજનક સોસાયટીનું રિડેવલોપમેન્ટ કરવું જરૂરી છે. બહુમત લોકોની જરૂરિયાત નવા મકાન થકી પોતાના પરિવારની સુરક્ષા અને સુખાકારી જ હોય છે.

હવે હાઉસીંગ બોર્ડની સોસાયટીની વાત કરીએ તો અનેક જગ્યાએ ઉપરોક્ત પ્રશ્ન કે સમસ્યા જોવા મળી રહી છે.કારણ કે હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ ખૂબ જ જર્જરીત છે, એમાંય કેટલીક તો બોર્ડ અને મ્યુ કોર્પોરેશન દ્વારા જાહેર પણ કરાયેલ છે છતાં સ્થાનિક એસોસિયેશન અથવા કેટલાંક જૂજ સભ્યો અંગત સ્વાર્થ, ખોટી માંગણીઓ દ્વારા રિડેવલપમેન્ટનો યેનકેન પ્રકારે વિરોધ કરી રહ્યા છે.

હાઉસીંગ બોર્ડની સોસાયટીઓમાં એમાંય ખાસ કરીને જે જર્જરીત જાહેર કરી છે એવી સોસાયટીઓએ વેળાસરથી રિડેવલપમેન્ટમાં જોડાઈ જવું જોઈએ, જો કોઈ સભ્ય કે એસોસિયેશન વિરોધ કરે તો હાઉસીંગ બોર્ડમાં ફરીયાદ કરવી જોઈએ.

આમ કુલ મળીને એક વાત ચોક્કસ કરી શકાય કે ખાનગી હોય કે હાઉસીંગ સોસાયટી, અનેક જગ્યાએ બહુમત સભ્યો જરુરિયાત હોવા છતાં તકલીફો ભોગવે છે, માનસિક ડર કે સંબંધો બગડશે તેવા વિચારો સાથે વિરોધ કરનારા સામે બાંયો ચડાવતા નથી, જેથી વિરોધીઓની હિંમત વધે છે કે બાકીના તો નબળા છે ને. દરેક ઘરના મોભી પુરુષ તથા સ્ત્રી એ પોતાના પરિવારની સુરક્ષાને ધ્યાને લઇ નિર્ણયો લેવા જોઈએ.

ખાસ કરીને સ્ત્રીઓ કે જે બાળકો અને વડીલો સાથે ઘરમાં વધુ સમય પસાર કરતી હોય છે અને તેમની સુખાકારી માટે વધુ ચિંતિત રહેતી હોય છે. માટે રિડેવલોપમેન્ટ જેવા નિર્ણય બાબતે ઘરની મહિલાઓના વિચારોને જાણવા અને મહત્વ આપવું જોઈએ. મહિલાઓએ પણ રિડેવલપમેન્ટ જેવા વિષયે યથાશક્તિ યોગદાન ઘરના નિર્ણયો અને સોસાયટી નિર્ણયોમાં રસ કેળવી સકારાત્મક પરિણામ લાવવા માટે આગળ આવવું જોઈએ.

નીચેના અમુક પ્રશ્નો દરેક ઘરના મોભીએ પોતાની જાતને પૂછવા અને વિચારવું ત્યારબાદ જે જરૂરી લાગે તે માટે કાર્યશીલ નીડર બનીને થવું.
-કોઈ અન્યની સ્વાર્થવૃતી, નકારાત્મકતા કે લાલચમાં આપણા ઘરમાં શું કામ નુકશાન થવા દેવાનું?
-કોઈ અન્યની લાલચ કે સ્વાર્થમાં આપણા પરિવારને જાણી જોઈ અકસ્માતના ભયમાં શું કામ રાખવાનો?
-મારા ઘરે જાનમાલનું નુકશાન થશે તો કોઈ અન્ય આપણને આપી જવાનું નથી, તો શા માટે બહારના કોઈના કારણે આપણે તકલીફ ભોગવીએ?
-મારી સમસ્યામાંથી બહાર આવવા અને પરિસ્થિતિ બદલાવ માટે પ્રયાસ કે લડત કોણે લડવી પડશે?
-મારી ચુપ્પી કે ડર મારા પરિવાર માટે ફાયદાકારક છે?
-દરેક વ્યક્તિએ પોતાની લડત જાતે જ લડવી પડે છે.

સાથે સાથે અમે એ પણ કહી રહ્યાં છીએ કે જે જે સોસાયટીઓ જર્જરીત નથી અથવા ખૂબ ઓછી જર્જરીત છે અથવા રીપેરીંગ કરાવી પ્રશ્નનું નિકાલ કરાવી શકાય છે અથવા બહુમત સભ્યો રિડેવલમેન્ટની તરફેણમાં નથી, કે વિરોધ ધરાવે છે તો આવી સોસાયટીઓએ રિડેવલપમેન્ટ સિવાયના અન્ય વિકલ્પો વિશે વિચારવું રહ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...