Friday, November 28, 2025

…તો ઉખાડી ફેકી દો, તમારા એસોસિયેશનને અને રિડેવલપમેન્ટમાં આગળ વધો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા લાગુ પાડવામાં આવેલી રિડેવલપમેન્ટ પોલીસીમાં હજુ ઘણીય ખામીઓ છે, જેનું મુખ્ય કારણ પોલીસીમાં કુલ ૭૫ ટકા લોકોની સહમતી માંગવામાં આવી છે, જે પછી ખાનગી સોસાયટીઓ હોય કે પછી હાઉસીંગ બોર્ડની કોલોનીઓ હોય…

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજયમાં ખાનગી અને હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ અત્યારે જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે, જેમાં મોટાભાગની સોસાયટીઓમાં બહુમત સભ્યો રિડેવલપમેન્ટ ઈચ્છી રહ્યા છે કારણ કે રિડેવલમેન્ટ પછી મકાનધારકને જુની જ જગ્યાએ નવુ અને આધુનિક સુવિધાઓ વાળુ નવુ મકાન મળી રહ્યું છે.અને રિડેવલપમેન્ટનો સૌથી મોટો ફાયદો એ છે કે જર્જરીત બાંધકામો ગમે ત્યારે સ્લેબ તૂટે, ટાંકી તૂટે એવા ભયમાં લોકો જીવી રહ્યા છે ત્યારે રિડેવલપમેન્ટ એક માત્ર ઉકેલ છે તમારા જાનમાલનું રક્ષણ કરવાનું.

સૌ પ્રથમ ખાનગી સોસાયટીઓની વાત કરીએ તો રિડેવલપમેન્ટની કરવાની સૌથી મોટી જવાબદારી સોસાયટીના એસોસિયેશનના માથે હોય છે, પરંતુ મોટાભાગની સોસાયટી જર્જરીત હોવા છતાં અને સોસાયટીના બહુમત સભ્યો ઈચ્છતા હોવા છતાં કેટલાંક એસોસિયેશન હોદ્દેદારો સભ્યો કે બે ચાર લોકો વ્યક્તિગત સ્વાર્થમાં જરુરિયાતમંદ લોકોની તકલીફોને સમજતા નથી અને રિડેવલોપમેન્ટ કામમાં વિરોધ કરી રોડા નાખતા હોય છે. વર્તમાન સમયમાં આ પ્રશ્ન અનેક ખાનગી સોસાયટીઓમાં જોવા મળી રહ્યો છે, જેનો એક માત્ર ઈલાજ છે કે જો સોસાયટીનો મોટો હિસ્સો જર્જરીત હોય અને બહુમત સભ્યો રિડેવલપમેન્ટ ઈચ્છતા હોય તો આવા એસોેેેેસિયેશન કે આવા સભ્યોને દુર કરી દેવા જરૂરી બની જાય છે. કારણ કે જર્જરીત ભયજનક સોસાયટીનું રિડેવલોપમેન્ટ કરવું જરૂરી છે. બહુમત લોકોની જરૂરિયાત નવા મકાન થકી પોતાના પરિવારની સુરક્ષા અને સુખાકારી જ હોય છે.

હવે હાઉસીંગ બોર્ડની સોસાયટીની વાત કરીએ તો અનેક જગ્યાએ ઉપરોક્ત પ્રશ્ન કે સમસ્યા જોવા મળી રહી છે.કારણ કે હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ ખૂબ જ જર્જરીત છે, એમાંય કેટલીક તો બોર્ડ અને મ્યુ કોર્પોરેશન દ્વારા જાહેર પણ કરાયેલ છે છતાં સ્થાનિક એસોસિયેશન અથવા કેટલાંક જૂજ સભ્યો અંગત સ્વાર્થ, ખોટી માંગણીઓ દ્વારા રિડેવલપમેન્ટનો યેનકેન પ્રકારે વિરોધ કરી રહ્યા છે.

હાઉસીંગ બોર્ડની સોસાયટીઓમાં એમાંય ખાસ કરીને જે જર્જરીત જાહેર કરી છે એવી સોસાયટીઓએ વેળાસરથી રિડેવલપમેન્ટમાં જોડાઈ જવું જોઈએ, જો કોઈ સભ્ય કે એસોસિયેશન વિરોધ કરે તો હાઉસીંગ બોર્ડમાં ફરીયાદ કરવી જોઈએ.

આમ કુલ મળીને એક વાત ચોક્કસ કરી શકાય કે ખાનગી હોય કે હાઉસીંગ સોસાયટી, અનેક જગ્યાએ બહુમત સભ્યો જરુરિયાત હોવા છતાં તકલીફો ભોગવે છે, માનસિક ડર કે સંબંધો બગડશે તેવા વિચારો સાથે વિરોધ કરનારા સામે બાંયો ચડાવતા નથી, જેથી વિરોધીઓની હિંમત વધે છે કે બાકીના તો નબળા છે ને. દરેક ઘરના મોભી પુરુષ તથા સ્ત્રી એ પોતાના પરિવારની સુરક્ષાને ધ્યાને લઇ નિર્ણયો લેવા જોઈએ.

ખાસ કરીને સ્ત્રીઓ કે જે બાળકો અને વડીલો સાથે ઘરમાં વધુ સમય પસાર કરતી હોય છે અને તેમની સુખાકારી માટે વધુ ચિંતિત રહેતી હોય છે. માટે રિડેવલોપમેન્ટ જેવા નિર્ણય બાબતે ઘરની મહિલાઓના વિચારોને જાણવા અને મહત્વ આપવું જોઈએ. મહિલાઓએ પણ રિડેવલપમેન્ટ જેવા વિષયે યથાશક્તિ યોગદાન ઘરના નિર્ણયો અને સોસાયટી નિર્ણયોમાં રસ કેળવી સકારાત્મક પરિણામ લાવવા માટે આગળ આવવું જોઈએ.

નીચેના અમુક પ્રશ્નો દરેક ઘરના મોભીએ પોતાની જાતને પૂછવા અને વિચારવું ત્યારબાદ જે જરૂરી લાગે તે માટે કાર્યશીલ નીડર બનીને થવું.
-કોઈ અન્યની સ્વાર્થવૃતી, નકારાત્મકતા કે લાલચમાં આપણા ઘરમાં શું કામ નુકશાન થવા દેવાનું?
-કોઈ અન્યની લાલચ કે સ્વાર્થમાં આપણા પરિવારને જાણી જોઈ અકસ્માતના ભયમાં શું કામ રાખવાનો?
-મારા ઘરે જાનમાલનું નુકશાન થશે તો કોઈ અન્ય આપણને આપી જવાનું નથી, તો શા માટે બહારના કોઈના કારણે આપણે તકલીફ ભોગવીએ?
-મારી સમસ્યામાંથી બહાર આવવા અને પરિસ્થિતિ બદલાવ માટે પ્રયાસ કે લડત કોણે લડવી પડશે?
-મારી ચુપ્પી કે ડર મારા પરિવાર માટે ફાયદાકારક છે?
-દરેક વ્યક્તિએ પોતાની લડત જાતે જ લડવી પડે છે.

સાથે સાથે અમે એ પણ કહી રહ્યાં છીએ કે જે જે સોસાયટીઓ જર્જરીત નથી અથવા ખૂબ ઓછી જર્જરીત છે અથવા રીપેરીંગ કરાવી પ્રશ્નનું નિકાલ કરાવી શકાય છે અથવા બહુમત સભ્યો રિડેવલમેન્ટની તરફેણમાં નથી, કે વિરોધ ધરાવે છે તો આવી સોસાયટીઓએ રિડેવલપમેન્ટ સિવાયના અન્ય વિકલ્પો વિશે વિચારવું રહ્યું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...