અમદાવાદ : રાજ્યમાં ફરીથી કોરોના વાયરસે માથુ ઉંચક્યુ છે. ત્યારે અમદાવાદમાં આજે કોરોનાના 10 નવા કેસ નોંધાયા છે. જેમાં પાંચ મહિલા અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. હાલ અમદાવાદમાં હાલ શહેરમાં 46 એક્ટિવ કેસ છે. જેમાંથી એક દર્દી હોસ્પિટલમાં જ્યારે 45 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. શહેરના નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ, થલતેજ, નિકોલ, મણિનગર, સાબરમતી અને ઈસનપુરમાં કોરોના કેસ નોંધાયા છે.
27મી ડિસેમ્બર સુધીમાં દેશમાં સૌથી વધારે JN1ના કુલ 36 કેસ ગુજરાતમાં નોંધાયા છે.રાજ્યમાં JN1 વેરિયન્ટના 36 કેસ નોંધાયા,જેમાંથી 22 દર્દીઓ સાજા થઇ ગયા, 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. રાજ્યમાં પ્રત્યેક કોરોના પોઝીટીવ દર્દીનું જીનોમ સિકવન્સીંગ કરવામાં આવે છે. 1 લી ડિસેમ્બર થી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા,જેમાંથી 99 કોરોના પોઝીટીવ નોંધાયા–પોઝીટીવીટી રેટ 0.86 % રહ્યો, હાલ રાજ્યમાં ફક્ત બે કોરોના પોઝીટીવ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
JN1ના સૌથી વધુ કેસ અંગે રાજ્યના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યુ છે કે ચિંતા કરવાની જરૂર નથી. આ સાથે તેમણે જણાવ્યુ કે, ગુજરાતમાં કોરોનાના જે એન1ના 66 કેસ છે. આ સાથે JN1ના 36 જેટલા કેસો આપણા રાજ્યમાં ધ્યાનમાં આવ્યા છે. આપણે ત્યાં આવતા તમામ કેસોનું જીનોમ સિકવન્સી કરીએ છીએ. આ ટાઇપના ભારતમાં સૌથી વધારે કેસ ગુજરાતમાં આવ્યા છે કારણ કે, આપણે આ તમામ કેસનું જીનોમ સિકવન્સી કરીએ છીએ એટલે આ આંકડો આપણને વધારે લાગે છે.


