Wednesday, February 4, 2026

વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખુશ ખબર, ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાને લઈને સારથી હેલ્પલાઇન શરૂ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ધારણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈ મહત્વના અને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. શહેરના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મૂઝવતા સવાલોને લઈ અમદાવાદ DEO દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. જે પર કોલ કરી સતાવતા સવાલોનો ઉકેલ મેળવી શકાશે.

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ સારથી હેલ્પલાઇન નંબર પર બોર્ડ પરીક્ષાને લઇ મુંજવતા પ્રશ્નો પૂછી શકશે. નિષ્ણાત ટીમ તેમના તમામ પ્રશ્નોના જવાબ આપશે. વિદ્યાર્થીઓ સારથી હેલ્પ લાઈનના આ વોટ્સએપ નંબર પર 99099 22648 સંપર્ક કરી શકશે. સારથી હેલ્પલાઈન પર વિષય નિષ્ણાંત અને મનોવૈજ્ઞાનિકોની ટીમ વિદ્યાર્થીઓના તમામ પ્રશ્નોના જવાબ આપશે. આ હેલ્પલાઈન નંબરનો ઉપયોગ બોર્ડના વિદ્યાર્થીઓ ઉપરાંત તેમના વાલીઓએ જરૂર પોતાના કોન્ટેક્ટ લિસ્ટમાં Save કરવો.

સારથી હેલ્પલાઈન ઉપરાંત જીવન આસ્થાના 1800-233-5500 નંબર પર પણ બોર્ડના વિદ્યાર્થીઓ પોતાની અભ્યાસ સંબંધિત સમસ્યાના ઉકેલ માટે સંપર્ક કરી શકે છે. ફક્ત વિદ્યાર્થીઓ નહી પરંતુ વાલીઓ પણ બોર્ડના પરીક્ષાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો માટે સારથી હેલ્પલાઈનની મદદ લઈ શકે છે. આ સિવાય બોર્ડ તરફથી પરીક્ષાને ધ્યાનમાં રાખી પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવશે.

ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એજયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 અને 12 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષા 11 માર્ચ, 2024 ના રોજ શરૂ થશે અને 26 માર્ચ, 2024 ના રોજ સમાપ્ત થશે. બોર્ડની પરીક્ષામાં ધોરણ-10નો સમય સવારે 10 થી બપોરે 1:15 સુધીનો છે. જ્યારે ધોરણ-12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્યપ્રવાહનો પરીક્ષાનો સમય બપોર પછીનો રહેશે. પરીક્ષાર્થીઓએ વધુ માહિતી માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org ની મુલાકાત લેવી. જેમાં GSEB SSC & HSC પરીક્ષાનો કાર્યક્રમ 2024’ લિંક પર ક્લિક કરવાથી માહિતી ઉપલબ્ધ થશે.

ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે સેંટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની 2024ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે. આ પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થવા જઈ રહી છે. માર્ચમાં આ પરીક્ષાઓ પૂર્ણ થશે. CBSE દ્વારા જાહેર કરાયેલ ડેટશીટ મુજબ, પરીક્ષાઓ બે શિફ્ટમાં લેવામાં આવશે. પ્રથમ પરીક્ષા સવારે 10.30 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1.30 વાગ્યા સુધી ચાલશે. બીજી પરીક્ષા સવારે 10.30 થી 12.30 દરમિયાન લેવામાં આવશે. પરીક્ષાઓ 56 દિવસ સુધી ચાલશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...