Sunday, March 1, 2026

હાઉસીંગ બોર્ડના અનેક ફલેટો જર્જરિત હાલતમાં, ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ…!!?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવેલ ફલેટ ટાઈપ મકાનો મોટેભાગે જર્જરિત અને ખૂબ જ ખરાબ હાલતમાં હોવાને કારણે જૂના ફ્લેટ્‌સમાં મકાન સ્લેબ, પેરાફિટ કે દીવાલ વગેરે ધરાશાયી થવાના સમાચારો આવતા રહે છે. મતલબ કેટલીક જૂની કોલોનીઓમાં મકાનોનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે અને દેખીતી રીતે કે ટેકનિકલ રીતે જર્જરીત હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં નારણપુરામાં લક્ષ્મીકૃપા એપાર્ટમેન્ટમાં એક ફલેટમાં આખેખાખી છત ધરાશયી થઈ હતી, આ સિવાય દર્શન એપાર્ટમેન્ટમાં પેરાફિટની દિવાલ ધરાશયી થઈ હતી.જો કે દૂર્ઘટના સમયે કોઈ ન હોવાને કારણે કોઈ જાનીહાનિ સર્જાઈ નથી.

અત્યારે ગરમીની ઋતુમાં આવા હાલ છે તો આવનારા ચોમાસામાં આવા કેટલા અકસ્માતો કે ઘટનાઓ બનશે? સદનસીબથી કેટલા લોકો બચશે જાનહાનિથી. આવી ચિંતા અને દુરંદેશીથી હાઉસીંગ બોર્ડ દ્વારા સરવે અનુસંધાને દેખીતા જર્જરીત ઈડબલ્યુએસ અને એલઆઈજી કેટેગરીના મકાનોના ત્યાંના રહીશોની નિયમ મુજબની લેખીત ટેન્ડર સંમતિ વગર ફક્ત મૌખિક સંમતિ પર રિડેવલપમેન્ટ માટેના ટેન્ડર પ્રકાશિત કરી દીધા છે. એક રીતે જોવા જઈએ તો આવી સોસાયટી ઉપર ગુ.હા.બોર્ડ અને સરકારનો ઉપકાર જ કહેવાય. ઉપકારને આશીર્વાદ સમજી આવી સોસાયટીએ આવેલ તકને વધાવી લેવાય અને સકારાત્મક અભિગમ સાથે રિડેવલપમેન્ટમાં આગળ વધવું જોઈએ.જાન હે તો જહાન હે…

ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2016માં રિડેવલપમેન્ટ પોલીસી લાવી છતાં 2016 થી 2022 સુધી માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી હાઉસીંગ કોલોનીઓ રિડેવલપમેન્ટ પોલીસી જોડાઈ શકી છે. જેમાં મોટેભાગે એચઆઈજી અને એલઆઈજી કેટેગરીના ફલેટ જોડાઈ રહ્યા છે. પરંતુ ઈડબલ્યુંએસ કે એલઆઈજી કેટેગરીના ફલેટો હજુ સુધી જોઈએ એવો રસ દાખવતા નથી.જો કે આ કેટેગરીના ફલેટોમાં વધારાનું બાંધકામ કરાયેલ છે. અલગ અલગ ફલેટોમાં અલગ અલગ સમસ્યાઓ છે. જેમાં પોલીસી મુજબ નવા બાંધકામો નાના મળતા હોવાની ફરિયાદો રહીશો કરી રહ્યા છે .જેને કારણે સૌથી જર્જરિત ઈડબલ્યુંએસ કે એલઆઈજી કેટેગરીના ફલેટો છે કે જયાં રહીશો જર્જરિત બાંધકામમાં જીવના જોખમે રહી રહ્યા છે.

ઈડબલ્યુંએસ કે એલઆઈજી કેટેગરીના ફલેટોની રિડેવલપમેન્ટમાં અવરોધરૂપ ક્યાંકને ક્યાંક રહીશો પોતે છે, કયાંક એસોશિયેશન છે તો કયાંક હાઉસીંગ બોર્ડને પણ ગણી શકાય છે. કેટલીક જગ્યાએ તો રહીશો રિડેવલપમેન્ટમાં જોડાવવા આતુર છે પણ એસોસિયેશનના હોદ્દેદારો કોઈને પૂછયા વગર હજુ રાહ જુઓ…સમય જવા દો હજુ વધુ મોટું મળશે…જેવી નીતિ અપનાવી રહ્યા છે.તો કેટલીક જગ્યાએ એસોસિયેશનના હોદ્દેદારો પોલીસી બહારની માગણી કરી રિડેવલપમેન્ટમાં જરા પણ રસ દાખવતા નથી, ભલે રહીશોનું જે થવું હોય તે થાય…

હાઉસીંગ બોર્ડની વાત કરીએ તો એકબાજુ બોર્ડ દ્વારા આવા જર્જરિત ફલેટોના ફક્ત મૌખિક સંમતિ પર રિડેવલપમેન્ટ માટેના ટેન્ડર પ્રકાશિત કરી પોતાની ફરજ પુરી થઈ ગઈ હોવાનો આત્મસંતોષ માની રહ્યા છે. ઈડબલ્યુંએસ કે એલઆઈજી કેટેગરીના ફલેટોમાં મોટેભાગે ગરીબ અને ગરીબ મધ્યમ વર્ગના લોકો વસે છે જેઓ ઓછુ ભણેલા હોય છે. જેઓને ગુજરાત સરકારની રિડેવલપમેન્ટની પુરતી સમજણ હોતી નથી. અહીં રહેતા લોકો મોટેભાગે સ્થાનિક આગેવાનો અને જાણકારના ભરોસે હોય છે, કે જેઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર રિડેવલપમેન્ટને અટકાવી રહ્યા છે. ત્યારે હાઉસીંગ બોર્ડના કર્મીઓ કે અધિકારીઓ રહીશો વચ્ચે જવું જોઈએ. આ ફલેટોમાં રહેતા રહીશોને પોલીસી સમજણ આપવા વાસ્તવિકતા જણાવવા હાઉસીંગ બોર્ડે આ પ્રકારના ફલેટોમાં લોકોની વચ્ચે જવું જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...