Friday, November 28, 2025

હાઉસીંગ બોર્ડના અનેક ફલેટો જર્જરિત હાલતમાં, ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ…!!?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવેલ ફલેટ ટાઈપ મકાનો મોટેભાગે જર્જરિત અને ખૂબ જ ખરાબ હાલતમાં હોવાને કારણે જૂના ફ્લેટ્‌સમાં મકાન સ્લેબ, પેરાફિટ કે દીવાલ વગેરે ધરાશાયી થવાના સમાચારો આવતા રહે છે. મતલબ કેટલીક જૂની કોલોનીઓમાં મકાનોનું આયુષ્ય પૂરું થવા આવ્યું છે અને દેખીતી રીતે કે ટેકનિકલ રીતે જર્જરીત હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં નારણપુરામાં લક્ષ્મીકૃપા એપાર્ટમેન્ટમાં એક ફલેટમાં આખેખાખી છત ધરાશયી થઈ હતી, આ સિવાય દર્શન એપાર્ટમેન્ટમાં પેરાફિટની દિવાલ ધરાશયી થઈ હતી.જો કે દૂર્ઘટના સમયે કોઈ ન હોવાને કારણે કોઈ જાનીહાનિ સર્જાઈ નથી.

અત્યારે ગરમીની ઋતુમાં આવા હાલ છે તો આવનારા ચોમાસામાં આવા કેટલા અકસ્માતો કે ઘટનાઓ બનશે? સદનસીબથી કેટલા લોકો બચશે જાનહાનિથી. આવી ચિંતા અને દુરંદેશીથી હાઉસીંગ બોર્ડ દ્વારા સરવે અનુસંધાને દેખીતા જર્જરીત ઈડબલ્યુએસ અને એલઆઈજી કેટેગરીના મકાનોના ત્યાંના રહીશોની નિયમ મુજબની લેખીત ટેન્ડર સંમતિ વગર ફક્ત મૌખિક સંમતિ પર રિડેવલપમેન્ટ માટેના ટેન્ડર પ્રકાશિત કરી દીધા છે. એક રીતે જોવા જઈએ તો આવી સોસાયટી ઉપર ગુ.હા.બોર્ડ અને સરકારનો ઉપકાર જ કહેવાય. ઉપકારને આશીર્વાદ સમજી આવી સોસાયટીએ આવેલ તકને વધાવી લેવાય અને સકારાત્મક અભિગમ સાથે રિડેવલપમેન્ટમાં આગળ વધવું જોઈએ.જાન હે તો જહાન હે…

ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2016માં રિડેવલપમેન્ટ પોલીસી લાવી છતાં 2016 થી 2022 સુધી માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી હાઉસીંગ કોલોનીઓ રિડેવલપમેન્ટ પોલીસી જોડાઈ શકી છે. જેમાં મોટેભાગે એચઆઈજી અને એલઆઈજી કેટેગરીના ફલેટ જોડાઈ રહ્યા છે. પરંતુ ઈડબલ્યુંએસ કે એલઆઈજી કેટેગરીના ફલેટો હજુ સુધી જોઈએ એવો રસ દાખવતા નથી.જો કે આ કેટેગરીના ફલેટોમાં વધારાનું બાંધકામ કરાયેલ છે. અલગ અલગ ફલેટોમાં અલગ અલગ સમસ્યાઓ છે. જેમાં પોલીસી મુજબ નવા બાંધકામો નાના મળતા હોવાની ફરિયાદો રહીશો કરી રહ્યા છે .જેને કારણે સૌથી જર્જરિત ઈડબલ્યુંએસ કે એલઆઈજી કેટેગરીના ફલેટો છે કે જયાં રહીશો જર્જરિત બાંધકામમાં જીવના જોખમે રહી રહ્યા છે.

ઈડબલ્યુંએસ કે એલઆઈજી કેટેગરીના ફલેટોની રિડેવલપમેન્ટમાં અવરોધરૂપ ક્યાંકને ક્યાંક રહીશો પોતે છે, કયાંક એસોશિયેશન છે તો કયાંક હાઉસીંગ બોર્ડને પણ ગણી શકાય છે. કેટલીક જગ્યાએ તો રહીશો રિડેવલપમેન્ટમાં જોડાવવા આતુર છે પણ એસોસિયેશનના હોદ્દેદારો કોઈને પૂછયા વગર હજુ રાહ જુઓ…સમય જવા દો હજુ વધુ મોટું મળશે…જેવી નીતિ અપનાવી રહ્યા છે.તો કેટલીક જગ્યાએ એસોસિયેશનના હોદ્દેદારો પોલીસી બહારની માગણી કરી રિડેવલપમેન્ટમાં જરા પણ રસ દાખવતા નથી, ભલે રહીશોનું જે થવું હોય તે થાય…

હાઉસીંગ બોર્ડની વાત કરીએ તો એકબાજુ બોર્ડ દ્વારા આવા જર્જરિત ફલેટોના ફક્ત મૌખિક સંમતિ પર રિડેવલપમેન્ટ માટેના ટેન્ડર પ્રકાશિત કરી પોતાની ફરજ પુરી થઈ ગઈ હોવાનો આત્મસંતોષ માની રહ્યા છે. ઈડબલ્યુંએસ કે એલઆઈજી કેટેગરીના ફલેટોમાં મોટેભાગે ગરીબ અને ગરીબ મધ્યમ વર્ગના લોકો વસે છે જેઓ ઓછુ ભણેલા હોય છે. જેઓને ગુજરાત સરકારની રિડેવલપમેન્ટની પુરતી સમજણ હોતી નથી. અહીં રહેતા લોકો મોટેભાગે સ્થાનિક આગેવાનો અને જાણકારના ભરોસે હોય છે, કે જેઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર રિડેવલપમેન્ટને અટકાવી રહ્યા છે. ત્યારે હાઉસીંગ બોર્ડના કર્મીઓ કે અધિકારીઓ રહીશો વચ્ચે જવું જોઈએ. આ ફલેટોમાં રહેતા રહીશોને પોલીસી સમજણ આપવા વાસ્તવિકતા જણાવવા હાઉસીંગ બોર્ડે આ પ્રકારના ફલેટોમાં લોકોની વચ્ચે જવું જોઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...