Tuesday, October 14, 2025

જૂની જર્જરિત EWS, LIG, LMIG અને MIG વસાહતોમાં 50 ચોરસ મીટર કાર્પેટ આપવામાં આવે : ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ

Share

અમદાવાદ : ગુજરાત હાઉસીંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ જણાવે છે કે ગુજરાત સરકાર હરહંમેશ આમ જનતાનું હિત અને તેમના દરેક વ્યથા અને પીડાને દુર કરવાનું કામ કરે છે.અને તેના અનુસંધાને હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ વર્ષો જુના મકાનો જર્જરિત થઈ ગયા હોવાથી તેને નવા બનવા માટે ગુજરાત સરકારે 2016 માં સરકાર અને સરકારી બોર્ડ દ્વારા બનાવામાં આવેલ રહીશોના 25 વર્ષ જૂની વસાહતો માટે રિડેવલપમેન્ટ માટેની પોલીસી 2016 જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ગણીગાંઠી જ વસાહતો એટલે કે 3 કે 4 જેટલી વસાહતોનું રિડેવલપમેન્ટ સફળ થયું છે. બાકી મોટાભાગની વસાહતો તેનો લાભ લઇ શકે તેમ નથી.કેમકે ગુજરાતમાં મોટાભાગની જૂની વસાહતો EWS, LIG, LMIG અને MIG છે. જે વર્ષો જૂના નિયમ અનુસાર જૂનો કાર્પેટ એરિયા 20 ચોરસ મીટર થી 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળતો હતો.જે હાલ કેટેગરી મૂજબ નવા પ્રમાણે ગણો ઓછો મળે છે.અને અગાઉ 1982 ની હાઉસીંગ બોર્ડની રજીસ્ટ્રેશન સ્કીમ હેઠળ MIG માં મકાન મેળવવા રજીસ્ટ્રેશન કરાવેલ, પરંતુ જે તે વખતે મકાનોની અછતને કારણે MIG માં ફોર્મ ભરવાવાળાને પણ LMIG કેટેગરીનાં મકાનો 1988 સુધીમાં ફાળવી દેવામાં આવ્યા હતા.એટલે તેમને પણ ઓછો કાર્પેટ એરિયા મળેલ, તેવી આ જૂની વસાહતોમાં હાલમાં 2016 ની રિડેવલપમેન્ટની પોલીસીના 3:1 બ-૩ પ્રમાણે 140 ટકા અથવા 30 ચોરસ મીટર કાર્પેટ બેમાંથી જે વધારે હોય તે એરિયા રિડેવલપમેન્ટમાં મળે છે એટલે જુના EWS, LIG, LMIG અને MIG નો જૂનો કાર્પેટ એરિયા બહુજ ઓછો હોવાને કારણે રિડેવલપમેન્ટમાં બહુજ નહિવત કાર્પેટ એરિયા મળે છે એટલે આવી વસાહતો તેમાં જોડાતી નથી અને આવી વસાહતો 80 ટકા જેવી ગુજરાતમાં છે. અને ઉપરોકત કારણોસર જર્જરીત હાલતમાં રહેલી સોસાયટીઓ જોડાતી નથી. પરંતું જો 2016 ની રિડેવલપમેન્ટ પોલીસીમાં 3:1 બ-૩ માં જો હયાત કાર્પેટ વિસ્તારનાં 140 ટકા અથવા 50 ચોરસ મીટર બેમાંથી જે વધારે હોય તે પ્રમાણે આપવામાં આવે તે પ્રમાણે સુધારો કરવામાં આવે તો રિડેવલપમેન્ટમાં બધી જ વસાહતોને નવું બાંધકામ ઓછામાં ઓછું 50 ચોરસ મીટર મળે એટલે બધી જ વસાહતો જોડાય અને સરકારનો હેતુ સફળતા પૂર્વક પાર પડે અને જર્જરિત મકાનોની ભવિષ્યની જાનહાની ટાળી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...