Friday, November 28, 2025

જૂની જર્જરિત EWS, LIG, LMIG અને MIG વસાહતોમાં 50 ચોરસ મીટર કાર્પેટ આપવામાં આવે : ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઉસીંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ જણાવે છે કે ગુજરાત સરકાર હરહંમેશ આમ જનતાનું હિત અને તેમના દરેક વ્યથા અને પીડાને દુર કરવાનું કામ કરે છે.અને તેના અનુસંધાને હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ વર્ષો જુના મકાનો જર્જરિત થઈ ગયા હોવાથી તેને નવા બનવા માટે ગુજરાત સરકારે 2016 માં સરકાર અને સરકારી બોર્ડ દ્વારા બનાવામાં આવેલ રહીશોના 25 વર્ષ જૂની વસાહતો માટે રિડેવલપમેન્ટ માટેની પોલીસી 2016 જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ગણીગાંઠી જ વસાહતો એટલે કે 3 કે 4 જેટલી વસાહતોનું રિડેવલપમેન્ટ સફળ થયું છે. બાકી મોટાભાગની વસાહતો તેનો લાભ લઇ શકે તેમ નથી.કેમકે ગુજરાતમાં મોટાભાગની જૂની વસાહતો EWS, LIG, LMIG અને MIG છે. જે વર્ષો જૂના નિયમ અનુસાર જૂનો કાર્પેટ એરિયા 20 ચોરસ મીટર થી 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળતો હતો.જે હાલ કેટેગરી મૂજબ નવા પ્રમાણે ગણો ઓછો મળે છે.અને અગાઉ 1982 ની હાઉસીંગ બોર્ડની રજીસ્ટ્રેશન સ્કીમ હેઠળ MIG માં મકાન મેળવવા રજીસ્ટ્રેશન કરાવેલ, પરંતુ જે તે વખતે મકાનોની અછતને કારણે MIG માં ફોર્મ ભરવાવાળાને પણ LMIG કેટેગરીનાં મકાનો 1988 સુધીમાં ફાળવી દેવામાં આવ્યા હતા.એટલે તેમને પણ ઓછો કાર્પેટ એરિયા મળેલ, તેવી આ જૂની વસાહતોમાં હાલમાં 2016 ની રિડેવલપમેન્ટની પોલીસીના 3:1 બ-૩ પ્રમાણે 140 ટકા અથવા 30 ચોરસ મીટર કાર્પેટ બેમાંથી જે વધારે હોય તે એરિયા રિડેવલપમેન્ટમાં મળે છે એટલે જુના EWS, LIG, LMIG અને MIG નો જૂનો કાર્પેટ એરિયા બહુજ ઓછો હોવાને કારણે રિડેવલપમેન્ટમાં બહુજ નહિવત કાર્પેટ એરિયા મળે છે એટલે આવી વસાહતો તેમાં જોડાતી નથી અને આવી વસાહતો 80 ટકા જેવી ગુજરાતમાં છે. અને ઉપરોકત કારણોસર જર્જરીત હાલતમાં રહેલી સોસાયટીઓ જોડાતી નથી. પરંતું જો 2016 ની રિડેવલપમેન્ટ પોલીસીમાં 3:1 બ-૩ માં જો હયાત કાર્પેટ વિસ્તારનાં 140 ટકા અથવા 50 ચોરસ મીટર બેમાંથી જે વધારે હોય તે પ્રમાણે આપવામાં આવે તે પ્રમાણે સુધારો કરવામાં આવે તો રિડેવલપમેન્ટમાં બધી જ વસાહતોને નવું બાંધકામ ઓછામાં ઓછું 50 ચોરસ મીટર મળે એટલે બધી જ વસાહતો જોડાય અને સરકારનો હેતુ સફળતા પૂર્વક પાર પડે અને જર્જરિત મકાનોની ભવિષ્યની જાનહાની ટાળી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...