Sunday, January 18, 2026

જૂની જર્જરિત EWS, LIG, LMIG અને MIG વસાહતોમાં 50 ચોરસ મીટર કાર્પેટ આપવામાં આવે : ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઉસીંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ જણાવે છે કે ગુજરાત સરકાર હરહંમેશ આમ જનતાનું હિત અને તેમના દરેક વ્યથા અને પીડાને દુર કરવાનું કામ કરે છે.અને તેના અનુસંધાને હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ વર્ષો જુના મકાનો જર્જરિત થઈ ગયા હોવાથી તેને નવા બનવા માટે ગુજરાત સરકારે 2016 માં સરકાર અને સરકારી બોર્ડ દ્વારા બનાવામાં આવેલ રહીશોના 25 વર્ષ જૂની વસાહતો માટે રિડેવલપમેન્ટ માટેની પોલીસી 2016 જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ગણીગાંઠી જ વસાહતો એટલે કે 3 કે 4 જેટલી વસાહતોનું રિડેવલપમેન્ટ સફળ થયું છે. બાકી મોટાભાગની વસાહતો તેનો લાભ લઇ શકે તેમ નથી.કેમકે ગુજરાતમાં મોટાભાગની જૂની વસાહતો EWS, LIG, LMIG અને MIG છે. જે વર્ષો જૂના નિયમ અનુસાર જૂનો કાર્પેટ એરિયા 20 ચોરસ મીટર થી 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળતો હતો.જે હાલ કેટેગરી મૂજબ નવા પ્રમાણે ગણો ઓછો મળે છે.અને અગાઉ 1982 ની હાઉસીંગ બોર્ડની રજીસ્ટ્રેશન સ્કીમ હેઠળ MIG માં મકાન મેળવવા રજીસ્ટ્રેશન કરાવેલ, પરંતુ જે તે વખતે મકાનોની અછતને કારણે MIG માં ફોર્મ ભરવાવાળાને પણ LMIG કેટેગરીનાં મકાનો 1988 સુધીમાં ફાળવી દેવામાં આવ્યા હતા.એટલે તેમને પણ ઓછો કાર્પેટ એરિયા મળેલ, તેવી આ જૂની વસાહતોમાં હાલમાં 2016 ની રિડેવલપમેન્ટની પોલીસીના 3:1 બ-૩ પ્રમાણે 140 ટકા અથવા 30 ચોરસ મીટર કાર્પેટ બેમાંથી જે વધારે હોય તે એરિયા રિડેવલપમેન્ટમાં મળે છે એટલે જુના EWS, LIG, LMIG અને MIG નો જૂનો કાર્પેટ એરિયા બહુજ ઓછો હોવાને કારણે રિડેવલપમેન્ટમાં બહુજ નહિવત કાર્પેટ એરિયા મળે છે એટલે આવી વસાહતો તેમાં જોડાતી નથી અને આવી વસાહતો 80 ટકા જેવી ગુજરાતમાં છે. અને ઉપરોકત કારણોસર જર્જરીત હાલતમાં રહેલી સોસાયટીઓ જોડાતી નથી. પરંતું જો 2016 ની રિડેવલપમેન્ટ પોલીસીમાં 3:1 બ-૩ માં જો હયાત કાર્પેટ વિસ્તારનાં 140 ટકા અથવા 50 ચોરસ મીટર બેમાંથી જે વધારે હોય તે પ્રમાણે આપવામાં આવે તે પ્રમાણે સુધારો કરવામાં આવે તો રિડેવલપમેન્ટમાં બધી જ વસાહતોને નવું બાંધકામ ઓછામાં ઓછું 50 ચોરસ મીટર મળે એટલે બધી જ વસાહતો જોડાય અને સરકારનો હેતુ સફળતા પૂર્વક પાર પડે અને જર્જરિત મકાનોની ભવિષ્યની જાનહાની ટાળી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...