Sunday, March 1, 2026

જૂની જર્જરિત EWS, LIG, LMIG અને MIG વસાહતોમાં 50 ચોરસ મીટર કાર્પેટ આપવામાં આવે : ગુજરાત હાઉસીંગ વસાહત મંડળ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઉસીંગ વસાહત મંડળના પ્રમુખ દિનેશ બારડ જણાવે છે કે ગુજરાત સરકાર હરહંમેશ આમ જનતાનું હિત અને તેમના દરેક વ્યથા અને પીડાને દુર કરવાનું કામ કરે છે.અને તેના અનુસંધાને હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ વર્ષો જુના મકાનો જર્જરિત થઈ ગયા હોવાથી તેને નવા બનવા માટે ગુજરાત સરકારે 2016 માં સરકાર અને સરકારી બોર્ડ દ્વારા બનાવામાં આવેલ રહીશોના 25 વર્ષ જૂની વસાહતો માટે રિડેવલપમેન્ટ માટેની પોલીસી 2016 જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત અત્યાર સુધીમાં ગણીગાંઠી જ વસાહતો એટલે કે 3 કે 4 જેટલી વસાહતોનું રિડેવલપમેન્ટ સફળ થયું છે. બાકી મોટાભાગની વસાહતો તેનો લાભ લઇ શકે તેમ નથી.કેમકે ગુજરાતમાં મોટાભાગની જૂની વસાહતો EWS, LIG, LMIG અને MIG છે. જે વર્ષો જૂના નિયમ અનુસાર જૂનો કાર્પેટ એરિયા 20 ચોરસ મીટર થી 30 ચોરસ મીટર કાર્પેટ એરિયા મળતો હતો.જે હાલ કેટેગરી મૂજબ નવા પ્રમાણે ગણો ઓછો મળે છે.અને અગાઉ 1982 ની હાઉસીંગ બોર્ડની રજીસ્ટ્રેશન સ્કીમ હેઠળ MIG માં મકાન મેળવવા રજીસ્ટ્રેશન કરાવેલ, પરંતુ જે તે વખતે મકાનોની અછતને કારણે MIG માં ફોર્મ ભરવાવાળાને પણ LMIG કેટેગરીનાં મકાનો 1988 સુધીમાં ફાળવી દેવામાં આવ્યા હતા.એટલે તેમને પણ ઓછો કાર્પેટ એરિયા મળેલ, તેવી આ જૂની વસાહતોમાં હાલમાં 2016 ની રિડેવલપમેન્ટની પોલીસીના 3:1 બ-૩ પ્રમાણે 140 ટકા અથવા 30 ચોરસ મીટર કાર્પેટ બેમાંથી જે વધારે હોય તે એરિયા રિડેવલપમેન્ટમાં મળે છે એટલે જુના EWS, LIG, LMIG અને MIG નો જૂનો કાર્પેટ એરિયા બહુજ ઓછો હોવાને કારણે રિડેવલપમેન્ટમાં બહુજ નહિવત કાર્પેટ એરિયા મળે છે એટલે આવી વસાહતો તેમાં જોડાતી નથી અને આવી વસાહતો 80 ટકા જેવી ગુજરાતમાં છે. અને ઉપરોકત કારણોસર જર્જરીત હાલતમાં રહેલી સોસાયટીઓ જોડાતી નથી. પરંતું જો 2016 ની રિડેવલપમેન્ટ પોલીસીમાં 3:1 બ-૩ માં જો હયાત કાર્પેટ વિસ્તારનાં 140 ટકા અથવા 50 ચોરસ મીટર બેમાંથી જે વધારે હોય તે પ્રમાણે આપવામાં આવે તે પ્રમાણે સુધારો કરવામાં આવે તો રિડેવલપમેન્ટમાં બધી જ વસાહતોને નવું બાંધકામ ઓછામાં ઓછું 50 ચોરસ મીટર મળે એટલે બધી જ વસાહતો જોડાય અને સરકારનો હેતુ સફળતા પૂર્વક પાર પડે અને જર્જરિત મકાનોની ભવિષ્યની જાનહાની ટાળી શકાય.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...