Thursday, January 22, 2026

અમદાવાદમાં આધુનિક સુવિધાથી સજ્જ ભાજપના મીડિયા સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલય શરુ કર્યા બાદ મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મીડિયા સેન્ટરની શરુઆત કરવામાં આવી છે. આ સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભાજપના ધારાસભ્યો, સંગઠનના સભ્યો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ચૂંટણી દરમ્યાન ભારતીય જનતા પાર્ટી સંબંધિત તમામ સમાચાર આ મીડિયા સેન્ટરમાંથી મળી રહે તે હેતુ સાથે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ અને તમામ પક્ષો જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપ પક્ષે ગુજરાતમાં તમામ માહિતી એક સેન્ટરથી મળે તે હેતુસર અમદાવાદમાં મીડિયા સેન્ટરની શરૂઆત કરી.

મીડિયા સેન્ટર ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ નેતા સી.આર.પાટીલે મિડીયાને સંબોધન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં અમે ગુજરાતમાં 26માંથી 26 સીટ બેઠક પર જીત મેળવીશું. અમે બે વખત 26માંથી 26 બેઠક જીત્યા છીએ. આ વખતે અમે દરેક સીટ 5 લાખ ના માર્જિનથી જીતીશું તેવો અમને PM મોદી સાહેબ પર વિશ્વાસ છે. કારણે કે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે.

લોકસભા ચૂંટણીને લઇને મીડિયા સેન્ટરમાં સંગઠનના પદાધિકારીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ આવતા હોય છે. આ તમામ લોકોના બેસવા માટે લોન્જની વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે જ આ તમામ લોકો પ્રેસ કોન્ફરેન્સ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...