Sunday, March 15, 2026

અમદાવાદમાં આધુનિક સુવિધાથી સજ્જ ભાજપના મીડિયા સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલય શરુ કર્યા બાદ મીડિયા સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મીડિયા સેન્ટરની શરુઆત કરવામાં આવી છે. આ સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ભાજપના ધારાસભ્યો, સંગઠનના સભ્યો સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ચૂંટણી દરમ્યાન ભારતીય જનતા પાર્ટી સંબંધિત તમામ સમાચાર આ મીડિયા સેન્ટરમાંથી મળી રહે તે હેતુ સાથે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ભાજપ અને તમામ પક્ષો જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ભાજપ પક્ષે ગુજરાતમાં તમામ માહિતી એક સેન્ટરથી મળે તે હેતુસર અમદાવાદમાં મીડિયા સેન્ટરની શરૂઆત કરી.

મીડિયા સેન્ટર ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ નેતા સી.આર.પાટીલે મિડીયાને સંબોધન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ચૂંટણીમાં અમે ગુજરાતમાં 26માંથી 26 સીટ બેઠક પર જીત મેળવીશું. અમે બે વખત 26માંથી 26 બેઠક જીત્યા છીએ. આ વખતે અમે દરેક સીટ 5 લાખ ના માર્જિનથી જીતીશું તેવો અમને PM મોદી સાહેબ પર વિશ્વાસ છે. કારણે કે આપણી સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ મોદી સાહેબે કર્યું છે.

લોકસભા ચૂંટણીને લઇને મીડિયા સેન્ટરમાં સંગઠનના પદાધિકારીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ આવતા હોય છે. આ તમામ લોકોના બેસવા માટે લોન્જની વ્યવસ્થા કરવામાં આવી છે.સાથે જ આ તમામ લોકો પ્રેસ કોન્ફરેન્સ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...