Wednesday, January 21, 2026

ગુજરાત યુનિવર્સિટીમાં મારામારી મામલો, અત્યાર સુધીમાં કુલ 5ની ધરપકડ, વિદેશી વિદ્યાર્થીઓને નવી NRI હોસ્ટેલમાં કરાશે શિફ્ટ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં શનિવારે રાત્રે નમાઝ પઢવા મામલે થયેલી મારામારી મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આરોપી હિતેશ મેવાડા અને ભરત પટેલની ક્રાઈમ બ્રાન્ચે ગઇકાલે ધરપકડ કરી હતી ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા.

ગુજરાત યુનિવર્સિટીમાં શનિવારે રાત્રે નમાઝ પઢવા મામલે થયેલી મારામારીની ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી છે. જે પૈકી ત્રણ આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યા પોલીસે ત્રણેય આરોપીના 10 દિવસના રિમાન્ડની માગ કરી હતી. પોલીસ તરફથી એવી રજૂઆત કરવામાં આવી છે કે છરી વાપરવામાં આવી છે. એટલે તપાસના બાબતે કેટલાક મુદ્દાઓ કોર્ટના ધ્યાને દોરવામાં આવ્યા, કોર્ટે 10 દિવસના રિમાન્ડની સામે દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ આ ત્રણેય આરોપીઓને યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના હોસ્ટેલના બ્લોકમાં મારામારી અને તોડફોડની ઘટના બની હતી. એને લઈને વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ તેમને A બ્લોકમાંથી NRI હોસ્ટેલમાં ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 2 દિવસમાં વિદ્યાર્થીઓ NRI હોસ્ટેલમાં આવશે. NRI હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને હોટલના રૂમ જેવી વ્યવસ્થા કરવામાં આવશે. વિદ્યાર્થીઓને અગાઉ જે સુવિધાઓ મળતી હતી એનાથી પણ વધુ સુવિધાઓ નવનિર્મિત NRI હોસ્ટેલમાં મળી રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...