Tuesday, January 13, 2026

અમદાવાદના આ વિસ્તારમાં BRTS બસે સર્જ્યો અકસ્માત, 5 લોકોને ગંભીર રીતે ઘાયલ

spot_img
Share

અમદાવાદ :અમદાવાદમાં ફરી એકવાર BRTS અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગત મોડી રાત્રે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગત મોડી રાતે BRTS બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. BRTS બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રેલિંગ તોડીને ડિવાઇડર પર ચડી ગઈ હતી. આ દરમિયાન સામેથી રિક્ષા આવી રહી હતી, જેને ટક્કર વાગતા રિક્ષામાં બેઠેલા રિક્ષાચાલક સહિત પાંચ લોકોને બીજા પહોંચી છે. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રખિયાલ વિસ્તારમાં BRTS બસે સામે આવી રહેલી રિક્ષાને ભારે અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટનામાં કુલ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. બસને ભયંકર અકસ્માત થતા ઘટનાસ્થળે ભીડ ભેગી થઇ હતી. આ સાથે સમગ્ર બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં BRTS બસનો કહેર સતત વધી રહ્યો છે. મહિલાનાં એકથી બે અકસ્માતની ઘટના બનતી જ હોય છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી AMTS અને BRTSના ડ્રાઈવરો દ્વારા બેફામ અને બેદરકાર ડ્રાઇવિંગના કારણે અવારનવાર આ પ્રકારના અકસ્માતો બનતા રહ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે અગાઉ પણ લેખિતમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તથા મહિનામાં મળતી સભા બોર્ડ માં પણ અનેક વખતે ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં ડ્રાઈવરશીપીમાં કોઈ સુધારો જોવા મળતો નથી, જે અત્યંત ગંભીર બાબત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....