Friday, March 13, 2026

અમદાવાદના આ વિસ્તારમાં BRTS બસે સર્જ્યો અકસ્માત, 5 લોકોને ગંભીર રીતે ઘાયલ

spot_img
Share

અમદાવાદ :અમદાવાદમાં ફરી એકવાર BRTS અકસ્માત સર્જ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગત મોડી રાત્રે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં ગત મોડી રાતે BRTS બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. BRTS બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ રેલિંગ તોડીને ડિવાઇડર પર ચડી ગઈ હતી. આ દરમિયાન સામેથી રિક્ષા આવી રહી હતી, જેને ટક્કર વાગતા રિક્ષામાં બેઠેલા રિક્ષાચાલક સહિત પાંચ લોકોને બીજા પહોંચી છે. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, રખિયાલ વિસ્તારમાં BRTS બસે સામે આવી રહેલી રિક્ષાને ભારે અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટનામાં કુલ 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. બસને ભયંકર અકસ્માત થતા ઘટનાસ્થળે ભીડ ભેગી થઇ હતી. આ સાથે સમગ્ર બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આગળની તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં BRTS બસનો કહેર સતત વધી રહ્યો છે. મહિલાનાં એકથી બે અકસ્માતની ઘટના બનતી જ હોય છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી AMTS અને BRTSના ડ્રાઈવરો દ્વારા બેફામ અને બેદરકાર ડ્રાઇવિંગના કારણે અવારનવાર આ પ્રકારના અકસ્માતો બનતા રહ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ મુદ્દે અગાઉ પણ લેખિતમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તથા મહિનામાં મળતી સભા બોર્ડ માં પણ અનેક વખતે ફરિયાદો કરવામાં આવી છે. તેમ છતાં ડ્રાઈવરશીપીમાં કોઈ સુધારો જોવા મળતો નથી, જે અત્યંત ગંભીર બાબત છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...