Wednesday, April 29, 2026

નવા વાડજના રશ્મિભાઈ ગજ્જરની ચીર વિદાયથી એક નિ:સ્વાર્થ સેવક ગુમાવ્યો, સાચા સેવકને શ્રદ્ધાંજલિ

spot_img
Share

અમદાવાદ : સેવા કરવાની ભાવના એ આજના સમયમાં બહુ જૂજ જોવા મળતો સદગુણ છે અને એ પણ કોઈ સ્વાર્થ વિના વર્ષોના વર્ષો જાત ઘસી નાખવી અને બસ એ જ સેવાકર્મને જીવન કર્મ બનાવવું એ કોઈ સામાન્ય જીવ માટે શક્ય નથી. નવા વાડજ વિસ્તારના રોનક પાર્કમાં રહેતા સ્વ. રશ્મિભાઈ ભીખાભાઇ ગજ્જરે આ સેવાયજ્ઞને સાર્થક કરી બતાવ્યો છે.

1994 માં વ્યાસવાડી પગપાળા સંઘની સ્થાપના થઈ ત્યારથી, સંઘના એક મોભી તરીકે પોતે સતત નાનાથી લઈને મોટી અનેક સેવા આપવી અને વડીલ હોવા છતાં સંઘના દરેક સેવકો માટે એક આદર્શ સેવક બનવું શ્રી રશ્મિ ભાઈના સેવાયજ્ઞમાં દીપાયમાન થતું.. ભાદરવી પૂનમ આવે એટલે એક મહિના પહેલા જ સંઘની બેઠક હોય તે જગ્યાએ પહેલા હાજર થઈ જવું; પોતે સાવરણી લઈ અને તેની સાથ-સફાઈ કરવી તથા સંઘના આગેવાનોને ફોન કરી સામેથી બોલાવવા અને સંઘના સફળ આયોજન માટે દરેકને પ્રોત્સાહિત કરવા એ શ્રી રશ્મિભાઈ સંઘ પ્રત્યે પોતાનું પહેલું સમર્પણ સમજતા. તદુપરાંત માતાજીના રથ શણગાર માટે અને વ્યાસવાડી ચોકના શણગાર માટે લાઇટિંગ તેઓ પોતે કરતા. સંઘમાં માત્ર સેવા નહિ પરંતુ ચાલતા સંઘ સાથે માતાજીનો રથ ખેંચી અંબાજી જવું અને રસ્તામાં પણ વિવિધ સેવા કરતા રહેવું એ સ્વ. રશ્મિભાઈના પરગજુ સ્વભાવની આદત હતી. જમણવાર હોય ત્યારે જમીને બધા આરામ કરવાનું પસંદ કરે ત્યારે સ્વ. રશ્મિભાઈ ભોજનની થાળીઓ લૂછી તેને ગણી અને ગોઠવવાની જવાબદારી માથે રાખતા.

આ ઉપરાંત છેલ્લાં ચાર વર્ષથી વધુ સમયથી અખબારનગર સર્કલ ખાતે કાર્યરત એવું ‘હર હર મહાદેવ’ અન્ન ક્ષેત્રમાં રહેલી સવારે હાજર ભુખ્યાને પોતાના હસ્તે પ્રસાદ આપવાની સેવા પણ યાદગાર રહી છે, ‘હર હર મહાદેવ’ અન્ન ક્ષેત્રના સેવાકાર્યમાં સતત અને સંપૂર્ણ સહકાર આપતા રહ્યા. ‘તેઓ નાનામાં નાના માણસને કઇ રીતે મદદરૂપ થાય તે માટે હંમેશા તત્પર રહેતા.’

તાજેતરમાં ગોતા જવાના માર્ગે શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિર પાસે એક છાશ કેન્દ્ર ઉનાળાને ધ્યાનમાં રાખી ત્યાંના રહીશોએ ઉભું કર્યું. છાશ તો રહીશો પૂરી પાડતાં પરંતુ ખરી બપોરે ત્યાં છાશ પીરસવા બેસે કોણ? અને ત્યારે એ શુભકાર્ય સ્વ.રશ્મિભાઈએ હાથમાં લીધું.રોજ સવારે નવા વાડજ થી બસમાં બેસી છાશ કેન્દ્ર પર જવું અને બપોરે આવતા જતા તરસ્યા રાહગીરોને છાશ પીવડાવવાની સેવા આપવી એ એમના જીવ માટે હાશકારો આપનાર સેવા હતી.. અને કદાચ એટલે જ હનુમાનદાદાના પરમભક્ત શ્રી રશ્મિભાઈને વૈકુંઠ જવાનો સમય થયો તે પહેલા તેમને ખાડિયા વિસ્તારના ચમત્કારી હનુમાનજીના દર્શન કરવાનો લ્હાવો મળ્યો.. દર્શન કરીને ઘેર આવ્યા અને હાર્ટ એટેકથી સેવાર્થી જીવ મોક્ષ પામ્યો.. શ્રી રશ્મિભાઈ જીવનની દરેક પળને જીવવામાં માનતા અને એટલે જ જીવ છોડવાના સમયે તેમણે જીવેલા જીવનના સંસ્મરણો તેમને મુમુક્ષુ જીવ તરીકે ઈશ્વરના શરણે સાવ સહજતાથી દોરી ગયા. તેમના ધર્મપત્ની શ્રીમતી કુસુમબેનને પણ વંદન કરવા રહ્યા કે તેઓ સ્વ.રશ્મિભાઈના સેવાકાર્યમાં સતત અને સંપૂર્ણ સહકાર આપતા રહ્યા.

આપણામાંથી એક પણ જીવ જો સ્વ. રશ્મિભાઈની જીવન યાત્રામાંથી પાઠ શીખે તો આપણું જીવન પણ એ ધન્યતને માર્ગે પ્રસ્થાન કરે અને સંઘને રશ્મિભાઈની ખાલી પડેલ જગ્યા માટે એક સેવક ઉપલબ્ધ થઈ જાય અને એ જ ચોક્કસ પણે સ્વ. રશ્મિભાઈને સાચી શ્રદ્ધાંજલિ હશે.
આમીન

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...