Sunday, February 8, 2026

નવા વાડજના રશ્મિભાઈ ગજ્જરની ચીર વિદાયથી એક નિ:સ્વાર્થ સેવક ગુમાવ્યો, સાચા સેવકને શ્રદ્ધાંજલિ

spot_img
Share

અમદાવાદ : સેવા કરવાની ભાવના એ આજના સમયમાં બહુ જૂજ જોવા મળતો સદગુણ છે અને એ પણ કોઈ સ્વાર્થ વિના વર્ષોના વર્ષો જાત ઘસી નાખવી અને બસ એ જ સેવાકર્મને જીવન કર્મ બનાવવું એ કોઈ સામાન્ય જીવ માટે શક્ય નથી. નવા વાડજ વિસ્તારના રોનક પાર્કમાં રહેતા સ્વ. રશ્મિભાઈ ભીખાભાઇ ગજ્જરે આ સેવાયજ્ઞને સાર્થક કરી બતાવ્યો છે.

1994 માં વ્યાસવાડી પગપાળા સંઘની સ્થાપના થઈ ત્યારથી, સંઘના એક મોભી તરીકે પોતે સતત નાનાથી લઈને મોટી અનેક સેવા આપવી અને વડીલ હોવા છતાં સંઘના દરેક સેવકો માટે એક આદર્શ સેવક બનવું શ્રી રશ્મિ ભાઈના સેવાયજ્ઞમાં દીપાયમાન થતું.. ભાદરવી પૂનમ આવે એટલે એક મહિના પહેલા જ સંઘની બેઠક હોય તે જગ્યાએ પહેલા હાજર થઈ જવું; પોતે સાવરણી લઈ અને તેની સાથ-સફાઈ કરવી તથા સંઘના આગેવાનોને ફોન કરી સામેથી બોલાવવા અને સંઘના સફળ આયોજન માટે દરેકને પ્રોત્સાહિત કરવા એ શ્રી રશ્મિભાઈ સંઘ પ્રત્યે પોતાનું પહેલું સમર્પણ સમજતા. તદુપરાંત માતાજીના રથ શણગાર માટે અને વ્યાસવાડી ચોકના શણગાર માટે લાઇટિંગ તેઓ પોતે કરતા. સંઘમાં માત્ર સેવા નહિ પરંતુ ચાલતા સંઘ સાથે માતાજીનો રથ ખેંચી અંબાજી જવું અને રસ્તામાં પણ વિવિધ સેવા કરતા રહેવું એ સ્વ. રશ્મિભાઈના પરગજુ સ્વભાવની આદત હતી. જમણવાર હોય ત્યારે જમીને બધા આરામ કરવાનું પસંદ કરે ત્યારે સ્વ. રશ્મિભાઈ ભોજનની થાળીઓ લૂછી તેને ગણી અને ગોઠવવાની જવાબદારી માથે રાખતા.

આ ઉપરાંત છેલ્લાં ચાર વર્ષથી વધુ સમયથી અખબારનગર સર્કલ ખાતે કાર્યરત એવું ‘હર હર મહાદેવ’ અન્ન ક્ષેત્રમાં રહેલી સવારે હાજર ભુખ્યાને પોતાના હસ્તે પ્રસાદ આપવાની સેવા પણ યાદગાર રહી છે, ‘હર હર મહાદેવ’ અન્ન ક્ષેત્રના સેવાકાર્યમાં સતત અને સંપૂર્ણ સહકાર આપતા રહ્યા. ‘તેઓ નાનામાં નાના માણસને કઇ રીતે મદદરૂપ થાય તે માટે હંમેશા તત્પર રહેતા.’

તાજેતરમાં ગોતા જવાના માર્ગે શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિર પાસે એક છાશ કેન્દ્ર ઉનાળાને ધ્યાનમાં રાખી ત્યાંના રહીશોએ ઉભું કર્યું. છાશ તો રહીશો પૂરી પાડતાં પરંતુ ખરી બપોરે ત્યાં છાશ પીરસવા બેસે કોણ? અને ત્યારે એ શુભકાર્ય સ્વ.રશ્મિભાઈએ હાથમાં લીધું.રોજ સવારે નવા વાડજ થી બસમાં બેસી છાશ કેન્દ્ર પર જવું અને બપોરે આવતા જતા તરસ્યા રાહગીરોને છાશ પીવડાવવાની સેવા આપવી એ એમના જીવ માટે હાશકારો આપનાર સેવા હતી.. અને કદાચ એટલે જ હનુમાનદાદાના પરમભક્ત શ્રી રશ્મિભાઈને વૈકુંઠ જવાનો સમય થયો તે પહેલા તેમને ખાડિયા વિસ્તારના ચમત્કારી હનુમાનજીના દર્શન કરવાનો લ્હાવો મળ્યો.. દર્શન કરીને ઘેર આવ્યા અને હાર્ટ એટેકથી સેવાર્થી જીવ મોક્ષ પામ્યો.. શ્રી રશ્મિભાઈ જીવનની દરેક પળને જીવવામાં માનતા અને એટલે જ જીવ છોડવાના સમયે તેમણે જીવેલા જીવનના સંસ્મરણો તેમને મુમુક્ષુ જીવ તરીકે ઈશ્વરના શરણે સાવ સહજતાથી દોરી ગયા. તેમના ધર્મપત્ની શ્રીમતી કુસુમબેનને પણ વંદન કરવા રહ્યા કે તેઓ સ્વ.રશ્મિભાઈના સેવાકાર્યમાં સતત અને સંપૂર્ણ સહકાર આપતા રહ્યા.

આપણામાંથી એક પણ જીવ જો સ્વ. રશ્મિભાઈની જીવન યાત્રામાંથી પાઠ શીખે તો આપણું જીવન પણ એ ધન્યતને માર્ગે પ્રસ્થાન કરે અને સંઘને રશ્મિભાઈની ખાલી પડેલ જગ્યા માટે એક સેવક ઉપલબ્ધ થઈ જાય અને એ જ ચોક્કસ પણે સ્વ. રશ્મિભાઈને સાચી શ્રદ્ધાંજલિ હશે.
આમીન

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...