Thursday, March 5, 2026

નવા વાડજમાં ડોહલી માતાજીના મંદિર ખાતે ભક્તિમય માહોલની વચ્ચે હવન યોજાયો

spot_img
Share

અમદાવાદ : આજે નવા વાડજ ગામમાં આવેલ ‘ડોહલી માં’ નાં મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે હવન અને મહાઆરતી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, પ્રાચીન પરંપરા પ્રમાણે દર વર્ષે ચૈત્રી નોરતાં દરમ્યાન પ્રથમ રવિવારે તમામ ગામવાસીઓ સાથે મળીને આ ઉત્સવની ઉજવણી કરે છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાં અને સામુહિક ભોજનનું આયોજન કરાયું હતું, જેમાં આશરે 4000થી વધુ ગામ વાસીઓએ ભાગ લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ નવાવાડજ ગામમાં આવેલ ‘ડોહલી માં’ નાં મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે હવન અને મહાઆરતી કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે નારણપુરાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ અને સાબરમતીના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, રૂપેશભાઈ વિષ્ણુભાઈ પટેલ સહિત સ્થાનિક આગેવાનોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામવાસીઓએ ભાગ લઈ માતાજીના હવનમાં આહુતિ આપી દુઃખ દારિદ્ર અને કષ્ટ દૂર કરવા પ્રાર્થના કરી હતી. ચૈત્રી નવરાત્રી ઉજવણીમાં ભાવિકોએ પણ મંદિર ખાતે દર્શનનો લ્હાવો લઈ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

તમને જણાવી દઈએ કે છેલ્લા 27 વર્ષોથી ચૈત્રી નવરાત્રીમાં ડોહલી માતાજીનો હવન કરવામાં આવે છે. આ હવનમાં સમગ્ર નવાવાડજ ગામના લોકો એકઠા થાય છે અને સાંજે ભોજન પ્રસાદનો લાભ મેળવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં આ હવનમાં લોકો ભાગ લે છે જો કે આ વર્ષે પણ ડોહલી માતાજી યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરી ચૈત્રી નવરાત્રિની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...