Sunday, September 14, 2025

સિંધુભવન રોડ પર i20 કારને રોકવા જતા કારચાલકે બે પોલીસ જવાનોને ઉડાવ્યા, આરોપીની ધરપકડ

Share

Share

અમદાવાદ : શહેરમાં અકસ્માતોના બનાવો બનતા જાય છે. જેમાં સિંધુભવન રોડ પર મોડી રાત્રે પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોય છે. પૂર ઝડપે વાહનો ચલાવવા માટે બદનામ થયેલા સિંધુભવન રોડ પર આ વખતે એક કારચાલકે બે પોલીસ કર્મચારીને ઉડાવ્યા હતા. આ સમગ્ર ઘટના રાતે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. જે સંદર્ભે પોલીસે હાલ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોતાની કાર લઈને પકવાન ચાર રસ્તાથી સિંધુભવન રોડ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન અકસ્માત સર્જયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગત રાતે 2:00 વાગ્યાના અરસામાં હાલ ચૂંટણીનો સમય હોવાથી સિંધુભવન રોડ પર પણ બેરીકેટ મૂકવામાં આવ્યા છે અને મોડી રાતે વાહન ચેકિંગની કામગીરી ચાલે છે. આ સમયે પોલીસ પોતાની ફરજ નિભાવી રહી હતી. આ અકસ્માતમાં ભોગ બનનાર પોલીસમાં હિતેશકુમાર અને મોહમ્મદ અનીશ ત્યાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. તેમણે i20 કારને રોકવાનો પ્રયાસ કરતા કારચાલકે કારને બ્રેક મારવાની જગ્યાએ બંનેને ઉડાવતા બંનેને ઈજા થઈ હતી. આ બનાવ બાદ કાર રોકાઈ હતી અને કારચાલક 24 વર્ષેનો જયદીપ ઝાલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કારચાલકની સ્થળ પરથી ધરપકડ કરી હતી અને બંન્ને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર અર્થે ખસેડ્યા હતા.

આ સમગ્ર બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સિંધુભવન રોડ પર મોડી રાતે ઘણા લોકો પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે ફૂલ સ્પીડે વાહનો ચલાવે છે. જેના કારણે આવા અકસ્માતના બનાવો બને છે અને નિર્દોષ લોકો તેના ભોગ બને છે.

તમને જણાવી દઈએ કે સિંધુભવન રોડ પર મોડી રાતે ઘણા લોકો પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે ફૂલ સ્પીડે વાહનો ચલાવે છે. જેના કારણે આવા અકસ્માતના બનાવો બને છે અને નિર્દોષ લોકો તેના ભોગ બને છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...