Wednesday, October 15, 2025

સિંધુભવન રોડ પર i20 કારને રોકવા જતા કારચાલકે બે પોલીસ જવાનોને ઉડાવ્યા, આરોપીની ધરપકડ

Share

અમદાવાદ : શહેરમાં અકસ્માતોના બનાવો બનતા જાય છે. જેમાં સિંધુભવન રોડ પર મોડી રાત્રે પૂરફાટ ઝડપે વાહનો દોડતા હોય છે. પૂર ઝડપે વાહનો ચલાવવા માટે બદનામ થયેલા સિંધુભવન રોડ પર આ વખતે એક કારચાલકે બે પોલીસ કર્મચારીને ઉડાવ્યા હતા. આ સમગ્ર ઘટના રાતે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. જે સંદર્ભે પોલીસે હાલ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોતાની કાર લઈને પકવાન ચાર રસ્તાથી સિંધુભવન રોડ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન અકસ્માત સર્જયો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ગત રાતે 2:00 વાગ્યાના અરસામાં હાલ ચૂંટણીનો સમય હોવાથી સિંધુભવન રોડ પર પણ બેરીકેટ મૂકવામાં આવ્યા છે અને મોડી રાતે વાહન ચેકિંગની કામગીરી ચાલે છે. આ સમયે પોલીસ પોતાની ફરજ નિભાવી રહી હતી. આ અકસ્માતમાં ભોગ બનનાર પોલીસમાં હિતેશકુમાર અને મોહમ્મદ અનીશ ત્યાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. તેમણે i20 કારને રોકવાનો પ્રયાસ કરતા કારચાલકે કારને બ્રેક મારવાની જગ્યાએ બંનેને ઉડાવતા બંનેને ઈજા થઈ હતી. આ બનાવ બાદ કાર રોકાઈ હતી અને કારચાલક 24 વર્ષેનો જયદીપ ઝાલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કારચાલકની સ્થળ પરથી ધરપકડ કરી હતી અને બંન્ને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર અર્થે ખસેડ્યા હતા.

આ સમગ્ર બનાવમાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સિંધુભવન રોડ પર મોડી રાતે ઘણા લોકો પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે ફૂલ સ્પીડે વાહનો ચલાવે છે. જેના કારણે આવા અકસ્માતના બનાવો બને છે અને નિર્દોષ લોકો તેના ભોગ બને છે.

તમને જણાવી દઈએ કે સિંધુભવન રોડ પર મોડી રાતે ઘણા લોકો પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે ફૂલ સ્પીડે વાહનો ચલાવે છે. જેના કારણે આવા અકસ્માતના બનાવો બને છે અને નિર્દોષ લોકો તેના ભોગ બને છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...