Thursday, April 30, 2026

ચાંદલોડિયા નામે બે સ્ટેશનને કારણે લોકો ત્રાહિમામ, એક જ નામના બે રેલવે સ્ટેશનથી ભારે ગૂંચવાડો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રેલવે તંત્રમાં ગજબનો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં એક જ નામના બે રેલવે સ્ટેશનથી મુસાફરો, રિક્ષા અને ટેક્ષી ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં ચાંદલોડિયા નામના બે રેલવે સ્ટેશન છે. જેમાં એકનું નામ ચાંદલોડિયા અને એકનું નામ ચાંદલોડિયા બી સ્ટેશન છે. જોકે આ બંને નામ એક જ હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ કાલુપુર સ્ટેશને રિડેવલપમેન્ટની કામગીરીને કારણે અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેન સાબરમતી અને ગાંધીનગર ખસેડાઈ છે. જ્યારે ઉત્તર ભારત તરફથી આવતી ટ્રેનો બાયપાસ કરાઈ છે. અમદાવાદથી ખસેડાયેલી કે બાયપાસ થયેલી ટ્રેનોમાં મુસાફરી કરતા શહેરના પેસેન્જરને ગાંધીનગર ન જવું પડે તે માટે ચાંદલોડિયા જ્યારે દિલ્હીથી આવતી ચાંદલોડિયા બી સ્ટેશને સ્ટોપેજ અપાયું છે. બંને સ્ટેશનના નામ ચાંદલોડિયા હોવાથી પેસેન્જર એકને બદલે બીજા સ્ટેશને જતા રહે છે. બે સ્ટેશનને વચ્ચે માંડ 2 કિલોમીટરનું અંતર છે. આ સ્ટેશનમાં ગૂંચવાડાને કારણે કેટલીક પેસેન્જર ટ્રેન પણ ચૂકી જતા હોય છે.

સૌરાષ્ટ્રથી દિલ્હી જતી ટ્રેનોને વિરમગામથી મહેસાણા કનેક્ટિવિટી આપવા થોડા સમય પહેલાં ચાંદલોડિયા મુખ્ય સ્ટેશનથી દૂર ચાંદલોડિયા બી સ્ટેશન તૈયાર કરાયું હતું. ઉત્તર ભારત તરફ જતી ટ્રેન માટે પેસેન્જર ટિકિટ ખરીદે તો ટિકિટ પર ચાંદલોડિયા સ્ટેશન લખેલું હોય છે. આથી પેસેન્જર ચાંદલોડિયા સ્ટેશન પર પહોંચી જાય છે પણ ત્યાં પછી ખબર પડે છે કે ચાંદલોડિયા બી સ્ટેશન જવાનું છે.

આ હકીકતને ધ્યાનમાં રાખી બંનેમાંથી એક સ્ટેશનનું નામ બદલવાની માગણી કરાઈ છે. નવા બનાવાયેલા સ્ટેશનને ચાંદલોડિયા બી સ્ટેશન નામ અપાયું છે. પરંતુ પેસેન્જર ટ્રેન પકડવા ચાંદલોડિયા સ્ટેશન પહોંચી જતા હોવાથી છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...