Thursday, December 11, 2025

ચાંદલોડિયા નામે બે સ્ટેશનને કારણે લોકો ત્રાહિમામ, એક જ નામના બે રેલવે સ્ટેશનથી ભારે ગૂંચવાડો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રેલવે તંત્રમાં ગજબનો કિસ્સો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં એક જ નામના બે રેલવે સ્ટેશનથી મુસાફરો, રિક્ષા અને ટેક્ષી ચાલકોને મુશ્કેલીમાં મુકાયા છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં ચાંદલોડિયા નામના બે રેલવે સ્ટેશન છે. જેમાં એકનું નામ ચાંદલોડિયા અને એકનું નામ ચાંદલોડિયા બી સ્ટેશન છે. જોકે આ બંને નામ એક જ હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ કાલુપુર સ્ટેશને રિડેવલપમેન્ટની કામગીરીને કારણે અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેન સાબરમતી અને ગાંધીનગર ખસેડાઈ છે. જ્યારે ઉત્તર ભારત તરફથી આવતી ટ્રેનો બાયપાસ કરાઈ છે. અમદાવાદથી ખસેડાયેલી કે બાયપાસ થયેલી ટ્રેનોમાં મુસાફરી કરતા શહેરના પેસેન્જરને ગાંધીનગર ન જવું પડે તે માટે ચાંદલોડિયા જ્યારે દિલ્હીથી આવતી ચાંદલોડિયા બી સ્ટેશને સ્ટોપેજ અપાયું છે. બંને સ્ટેશનના નામ ચાંદલોડિયા હોવાથી પેસેન્જર એકને બદલે બીજા સ્ટેશને જતા રહે છે. બે સ્ટેશનને વચ્ચે માંડ 2 કિલોમીટરનું અંતર છે. આ સ્ટેશનમાં ગૂંચવાડાને કારણે કેટલીક પેસેન્જર ટ્રેન પણ ચૂકી જતા હોય છે.

સૌરાષ્ટ્રથી દિલ્હી જતી ટ્રેનોને વિરમગામથી મહેસાણા કનેક્ટિવિટી આપવા થોડા સમય પહેલાં ચાંદલોડિયા મુખ્ય સ્ટેશનથી દૂર ચાંદલોડિયા બી સ્ટેશન તૈયાર કરાયું હતું. ઉત્તર ભારત તરફ જતી ટ્રેન માટે પેસેન્જર ટિકિટ ખરીદે તો ટિકિટ પર ચાંદલોડિયા સ્ટેશન લખેલું હોય છે. આથી પેસેન્જર ચાંદલોડિયા સ્ટેશન પર પહોંચી જાય છે પણ ત્યાં પછી ખબર પડે છે કે ચાંદલોડિયા બી સ્ટેશન જવાનું છે.

આ હકીકતને ધ્યાનમાં રાખી બંનેમાંથી એક સ્ટેશનનું નામ બદલવાની માગણી કરાઈ છે. નવા બનાવાયેલા સ્ટેશનને ચાંદલોડિયા બી સ્ટેશન નામ અપાયું છે. પરંતુ પેસેન્જર ટ્રેન પકડવા ચાંદલોડિયા સ્ટેશન પહોંચી જતા હોવાથી છેલ્લી ઘડીએ દોડધામ કરવી પડે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હોમગાર્ડ જવાન માટે મહત્ત્વની જાહેરાત, નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો, 55 વર્ષના બદલે હવે 58 વર્ષે નિવૃત્તિ

ગાંધીનગર : રાજ્યમાં આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને વિવિધ કટોકટીની સ્થિતિમાં પોલીસ વિભાગ સાથે મળી કામગીરી કરતા રાજ્યના હજારો હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકાર...

ગુજરાત સરકારના AI આધારિત પોર્ટલ પર એક ક્લિક પર ઠરાવો, પરિપત્રો સહિત વિગતો મળશે

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા એક એવુ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે કે, સરકારની તમામ માહિતીઓ,પરિપત્રો, ઠરાવો એક જ ક્લીકમાં ઉપલબ્ધ બની શકે, પોર્ટલને...

ગુજરાત બોર્ડની બેદરકારી: પહેલા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવી, પછી ભુલ સુધારી તારીખ બદલી

ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. 4 માર્ચ 2026ના દિવસે ધુળેટીનો જાહેર રજા દિવસ હોવા છતાં...

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...