Wednesday, March 4, 2026

અમદાવાદમાં દિવસભર મેગા રોડ શો બાદ અમિત શાહે સંબોધી વેજલપુરમાં જનસભા, જાણો શું કહ્યું ?

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે મતવિસ્તારમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. તેમણે સાબરમતીથી વેજલપુર સુધી રોડ શો યોજ્યો હતો, જેમાં CM સહિત ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જે બાદ અમિત શાહે વેજલપુરમાં જનસભા સંબોધી હતી.

અમિત શાહે જનસભા સંબોધતા કહ્યું હતું કે, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26એ 26માં કમળ ખીલાવવાના છે. આ વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકું છે. તેને મજબૂત રાખવાનું છે. આ દરમિયાન મોદીનું નામ લેતા જ મોદી મોદીના નારા લાગ્યા હતા. નરેન્દ્ર મોદીને ગુજરાત અને દેશની જનતાએ 10 વર્ષ સાશન કરવા માટે આપ્યા. આંતકવાદ સમાપ્ત થયો કે ના થયો? નક્સલવાદ સમાપ્ત થયો કે ના થયો? કલમ 370 નાબૂદ થઈ કે ના થઈ? રામ મંદિર બન્યું કે ના બન્યું? ત્રિપલ તલાક સમાપ્ત થયો કે ના થયો? કોમન સિવિલ કોડ UCC આવ્યો કે ના આવ્યો? શરણાર્થીઓને નાગરિકતા આપી કે ના આપી? કોંગ્રેસ સાફ કરી ના કરી? આ બધુ જ થઇ ગયું. એતો થયું જ પણ નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.

તેમણે કહ્યું કે, એક જમાનામાં સોનિયા-મનમોહનની સરકાર હતી. તેમની સરકારમાં રોજે રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા, ઘૂસી જતા હતા. રોજ બોમ્બ ધડાકા કરતા હતા કે નહીં? હવે તમે બધાએ 26માંથી 26 આપી, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા. પુલવામા અને ઊરીમાં અટકચાળો કર્યો. હવે એમને ખબર ના પડી કે સરકાર બદલાઇ ગઇ છે. મનમોહન સિંહ વડાપ્રધાન નથી. ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. દસ જ દિવસમાં પાકિસ્તાનના ઘરમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક કરી સફાયો કર્યો.

નરેન્દ્રભાઇએ દેશને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. 11માં નંબર પર આપણું અર્થતંત્ર હતું. નરેન્દ્રભાઇએ જોતજોતામાં 11માં નંબર પરથી 5માં નંબર પર લાવવાનું કામ કર્યું છે. તેમની ગેરેન્ટી છે ભાજપનું અર્થતંત્ર દુનિયામાં 3 નંબરે રહેશે. 80 કરોડ ગરીબોને ઘરમાં ગેસ, શૌચાલય, લાઇટ, ગેસનું કનેક્શન, પાંચ લાખ સુધીનો વીમો, નળથી જલ આપવાનું કામ નરેન્દ્રભાઇએ કર્યું છે. ગુજરાતની 26-26 બેઠકો ફરી એક વખત હેટ્રિક કરી નરેન્દ્ર મોદી સાહેબની ઝોળીમાં નાંખી દેવાની છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...