Thursday, January 15, 2026

અમદાવાદમાં દિવસભર મેગા રોડ શો બાદ અમિત શાહે સંબોધી વેજલપુરમાં જનસભા, જાણો શું કહ્યું ?

spot_img
Share

અમદાવાદ : ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે મતવિસ્તારમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો. તેમણે સાબરમતીથી વેજલપુર સુધી રોડ શો યોજ્યો હતો, જેમાં CM સહિત ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જે બાદ અમિત શાહે વેજલપુરમાં જનસભા સંબોધી હતી.

અમિત શાહે જનસભા સંબોધતા કહ્યું હતું કે, 7મી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26એ 26માં કમળ ખીલાવવાના છે. આ વેજલપુર મારું પશ્ચિમ અમદાવાદનું નાકું છે. તેને મજબૂત રાખવાનું છે. આ દરમિયાન મોદીનું નામ લેતા જ મોદી મોદીના નારા લાગ્યા હતા. નરેન્દ્ર મોદીને ગુજરાત અને દેશની જનતાએ 10 વર્ષ સાશન કરવા માટે આપ્યા. આંતકવાદ સમાપ્ત થયો કે ના થયો? નક્સલવાદ સમાપ્ત થયો કે ના થયો? કલમ 370 નાબૂદ થઈ કે ના થઈ? રામ મંદિર બન્યું કે ના બન્યું? ત્રિપલ તલાક સમાપ્ત થયો કે ના થયો? કોમન સિવિલ કોડ UCC આવ્યો કે ના આવ્યો? શરણાર્થીઓને નાગરિકતા આપી કે ના આપી? કોંગ્રેસ સાફ કરી ના કરી? આ બધુ જ થઇ ગયું. એતો થયું જ પણ નરેન્દ્ર મોદીએ દેશને સુરક્ષિત કરવાનું કામ કર્યું છે.

તેમણે કહ્યું કે, એક જમાનામાં સોનિયા-મનમોહનની સરકાર હતી. તેમની સરકારમાં રોજે રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા, ઘૂસી જતા હતા. રોજ બોમ્બ ધડાકા કરતા હતા કે નહીં? હવે તમે બધાએ 26માંથી 26 આપી, મોદી સાહેબ વડાપ્રધાન બન્યા. પુલવામા અને ઊરીમાં અટકચાળો કર્યો. હવે એમને ખબર ના પડી કે સરકાર બદલાઇ ગઇ છે. મનમોહન સિંહ વડાપ્રધાન નથી. ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે. દસ જ દિવસમાં પાકિસ્તાનના ઘરમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક કરી સફાયો કર્યો.

નરેન્દ્રભાઇએ દેશને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે. 11માં નંબર પર આપણું અર્થતંત્ર હતું. નરેન્દ્રભાઇએ જોતજોતામાં 11માં નંબર પરથી 5માં નંબર પર લાવવાનું કામ કર્યું છે. તેમની ગેરેન્ટી છે ભાજપનું અર્થતંત્ર દુનિયામાં 3 નંબરે રહેશે. 80 કરોડ ગરીબોને ઘરમાં ગેસ, શૌચાલય, લાઇટ, ગેસનું કનેક્શન, પાંચ લાખ સુધીનો વીમો, નળથી જલ આપવાનું કામ નરેન્દ્રભાઇએ કર્યું છે. ગુજરાતની 26-26 બેઠકો ફરી એક વખત હેટ્રિક કરી નરેન્દ્ર મોદી સાહેબની ઝોળીમાં નાંખી દેવાની છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...