Saturday, March 7, 2026

નવા વાડજમાં વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા સ્વ.રશ્મિભાઈ ગજજરને શ્રદ્ધાંજલિ અર્પવા સભા યોજાઈ

spot_img
Share

અમદાવાદ : વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા નવા વાડજ વિસ્તારમાં રોનક પાર્કમાં રહેતા સ્વર્ગસ્થ રશ્મિભાઈ ભીખાભાઈ ગજ્જરની શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી.વ્યાસવાડી પગપાળા સંઘના સાચા સેવક અને પદયાત્રી ને શ્રદ્ધાસુમન અર્પણ કરી સંઘ સાથેનો તેમનો નાતો યાદ કરવામાં આવ્યો હતો. નવા વાડજમાં મધુકર સોસાયટીના કોમન પ્લોટમાં યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં રશ્મિભાઈના પરિવારજનો અને વ્યાસવાડી પગપાળા સંઘના આગેવાનો, પદયાત્રીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહી રશ્મિભાઈને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સ્વર્ગસ્થ રશ્મિભાઈ ભીખાભાઈ ગજ્જરની વ્યાસવાડી પગપાળા સંઘ સાથેની કેટલીક યાદો…
વ્યાસવાડી પગવાળા સંઘની સ્થાપના વર્ષ 1994 થી 2024 સુધી સતત 30 વર્ષ સુધીમાં નિસ્વાર્થ, નિષ્ઠાવાન સેવક તરીકે તથા પદયાત્રી તરીકે રશ્મિભાઈ અલાયદું સ્થાન ધરાવતા હતા.
વ્યાસવાડી પગવાળા સંઘના કાર્યની શરૂઆત અષાઢી બીજથી પદયાત્રીના નામ લખવાની શરૂઆત થતા સૌપ્રથમ તરીકે પહેલું નામ તેઓનું રહેતું હતું.
સંઘના કામ માટે આયોજકો તથા સેવકોની મીટીંગ કરતા ત્યારે 15 દિવસ પહેલા સૌથી પહેલા વ્યાસવાડીમાં પહોંચી સંઘના કામની તૈયારી કરતા હતા.
જ્યારે સંઘ વ્યાસવાડીથી પ્રસ્થાન થાય ત્યારે ચાર રસ્તા ઉપર સૌથી પહેલા ગરબાની શરૂઆત કરી નાચતા કુદતા અને સૌને સાથે લઈને અંબાજી તરફ પ્રયાણ કરતા હતા.
સંઘ નીકળ્યા પછી રસ્તામાં સાતે સાત દિવસ લોકોને આનંદ કરાવતા કરાવતા કોઈપણ પદયાત્રીને શારીરિક તકલીફ હોય તો અંબાજી સુધી તેમની સાથે સતત રહી અંબાજી પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ કરતા હતા.

વ્યાસવાડી પગપાળા સંઘ દ્વારા યોજાયેલ આ શ્રદ્ધાંજલિ સભામાં રશ્મિભાઈના પરિવારજનો અને વ્યાસવાડી પગપાળા સંઘના આગેવાનો, પદયાત્રીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતા…

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...