Sunday, November 9, 2025

ગાંધીનગરમાં પણ કારચાલક બન્યો બેફામ, બે કાર વચ્ચે અકસ્માતમાં સારવાર દરમિયાન સસરાનું મોત, પુત્રવધૂની હાલત ગંભીર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ કારચાલક બેફામ બન્યા છે. ગાંધીનગરનાં સરગાસણથી ખ – 3 તરફ જતાં રોડ ઉપર કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી ડિવાઇડર કુદાવી અલ્ટો ગાડી સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં અલ્ટોમાં સવાર ગંભીર ઈજાગ્રસ્ત સસરાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે હોસ્પિટલમાં દાખલ પુત્રવધૂની હાલત પણ નાજુક હોવાના પગલે સઘન સારવાર આપવામાં આવી છે. આ અંગે સેકટર-7 પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ઓઢવ નવરંગ સ્કૂલની બાજુમાં ચંદ્રનગર સોસાયટીમાં નિમિતાબેન હેમંતભાઈ જોષી પોસ્ટનું કામ કરી ગુજરાન ચલાવે છે. ગત તા. 21 મી એપ્રિલે નિમિતાબેન તેમના સસરા જયંતીલાલ મનસુખલાલ જોષી સાથે અલ્ટો ગાડીમાં વતન રાંધેજા ખાતે પ્રસંગ હોવાથી જતા હતા. અને સાંજના આશરે ચારેક વાગે ગાંધીનગર સરગાસણથી ખ-૩ તરફથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન ફોર વ્હીલ ગાડી (GJ-18-EA-6625) ના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર કુદાડી અલ્ટો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. અને ગાડીને ઝાડ સાથે અથડાવી દીધી હતી. આ કાર એટલી ખરાબ રીતે ફસાઇ ગઇ હતી કે તેને કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી.આ અકસ્માત થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. એ વેળાએ અત્રેના રોડ પરથી પસાર થતા ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ પણ અકસ્માત જોઈને રોકાઈ ગયા હતા.

આ અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર સસરા-પુત્રવધૂને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. બાદમાં બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે જયંતિલાલની તબિયત સારવાર દરમ્યાન વધુ પડતી લથડી પડી હતી. અને તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે નિમિતાબેનની ફરીયાદના આધારે સેકટર – 7 પોલીસ ફોર વ્હીલ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિકોનું માનીએ તો ખ- રોડ ઓવરસ્પીડીંગ માટેનો રાજ માર્ગ ગણાય છે. સ્પીડ બ્રેકર નહીં હોવાથી અહીં વાહનો પુરઝડપે દોડે છે. ગાંધીનગર પોલીસને ઓવર સ્પીડીંગ અટકાવવા માટે પુરતા સાધનો અપાયા હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી. કાર્યવાહી થતી નહીં હોવાથી વાહનચાલકો ગતિ મર્યાદા પર ધ્યાન આપતા નથી.

જો કે સમગ્ર ઘટનાની કરુણતાનું જમા પાસું એ રહ્યું કે અકસ્માત સમયે હાજર ગેરેજમાં કામ કરનાર વ્યક્તિએ માનવતા બતાવી બન્ને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. સાથે જ જયંતિભાઇના ખિસ્સામાં રોકડ અને સોનાની ચેઇન સહિતની વસ્તુઓ પરિવારજનોને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ બતાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...