Monday, September 15, 2025

ગાંધીનગરમાં પણ કારચાલક બન્યો બેફામ, બે કાર વચ્ચે અકસ્માતમાં સારવાર દરમિયાન સસરાનું મોત, પુત્રવધૂની હાલત ગંભીર

Share

Share

અમદાવાદ : અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ કારચાલક બેફામ બન્યા છે. ગાંધીનગરનાં સરગાસણથી ખ – 3 તરફ જતાં રોડ ઉપર કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી ડિવાઇડર કુદાવી અલ્ટો ગાડી સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં અલ્ટોમાં સવાર ગંભીર ઈજાગ્રસ્ત સસરાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે હોસ્પિટલમાં દાખલ પુત્રવધૂની હાલત પણ નાજુક હોવાના પગલે સઘન સારવાર આપવામાં આવી છે. આ અંગે સેકટર-7 પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ઓઢવ નવરંગ સ્કૂલની બાજુમાં ચંદ્રનગર સોસાયટીમાં નિમિતાબેન હેમંતભાઈ જોષી પોસ્ટનું કામ કરી ગુજરાન ચલાવે છે. ગત તા. 21 મી એપ્રિલે નિમિતાબેન તેમના સસરા જયંતીલાલ મનસુખલાલ જોષી સાથે અલ્ટો ગાડીમાં વતન રાંધેજા ખાતે પ્રસંગ હોવાથી જતા હતા. અને સાંજના આશરે ચારેક વાગે ગાંધીનગર સરગાસણથી ખ-૩ તરફથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન ફોર વ્હીલ ગાડી (GJ-18-EA-6625) ના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર કુદાડી અલ્ટો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. અને ગાડીને ઝાડ સાથે અથડાવી દીધી હતી. આ કાર એટલી ખરાબ રીતે ફસાઇ ગઇ હતી કે તેને કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી.આ અકસ્માત થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. એ વેળાએ અત્રેના રોડ પરથી પસાર થતા ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ પણ અકસ્માત જોઈને રોકાઈ ગયા હતા.

આ અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર સસરા-પુત્રવધૂને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. બાદમાં બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે જયંતિલાલની તબિયત સારવાર દરમ્યાન વધુ પડતી લથડી પડી હતી. અને તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે નિમિતાબેનની ફરીયાદના આધારે સેકટર – 7 પોલીસ ફોર વ્હીલ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિકોનું માનીએ તો ખ- રોડ ઓવરસ્પીડીંગ માટેનો રાજ માર્ગ ગણાય છે. સ્પીડ બ્રેકર નહીં હોવાથી અહીં વાહનો પુરઝડપે દોડે છે. ગાંધીનગર પોલીસને ઓવર સ્પીડીંગ અટકાવવા માટે પુરતા સાધનો અપાયા હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી. કાર્યવાહી થતી નહીં હોવાથી વાહનચાલકો ગતિ મર્યાદા પર ધ્યાન આપતા નથી.

જો કે સમગ્ર ઘટનાની કરુણતાનું જમા પાસું એ રહ્યું કે અકસ્માત સમયે હાજર ગેરેજમાં કામ કરનાર વ્યક્તિએ માનવતા બતાવી બન્ને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. સાથે જ જયંતિભાઇના ખિસ્સામાં રોકડ અને સોનાની ચેઇન સહિતની વસ્તુઓ પરિવારજનોને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ બતાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...