Wednesday, March 18, 2026

ગાંધીનગરમાં પણ કારચાલક બન્યો બેફામ, બે કાર વચ્ચે અકસ્માતમાં સારવાર દરમિયાન સસરાનું મોત, પુત્રવધૂની હાલત ગંભીર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ કારચાલક બેફામ બન્યા છે. ગાંધીનગરનાં સરગાસણથી ખ – 3 તરફ જતાં રોડ ઉપર કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી ડિવાઇડર કુદાવી અલ્ટો ગાડી સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં અલ્ટોમાં સવાર ગંભીર ઈજાગ્રસ્ત સસરાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે હોસ્પિટલમાં દાખલ પુત્રવધૂની હાલત પણ નાજુક હોવાના પગલે સઘન સારવાર આપવામાં આવી છે. આ અંગે સેકટર-7 પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ઓઢવ નવરંગ સ્કૂલની બાજુમાં ચંદ્રનગર સોસાયટીમાં નિમિતાબેન હેમંતભાઈ જોષી પોસ્ટનું કામ કરી ગુજરાન ચલાવે છે. ગત તા. 21 મી એપ્રિલે નિમિતાબેન તેમના સસરા જયંતીલાલ મનસુખલાલ જોષી સાથે અલ્ટો ગાડીમાં વતન રાંધેજા ખાતે પ્રસંગ હોવાથી જતા હતા. અને સાંજના આશરે ચારેક વાગે ગાંધીનગર સરગાસણથી ખ-૩ તરફથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન ફોર વ્હીલ ગાડી (GJ-18-EA-6625) ના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર કુદાડી અલ્ટો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. અને ગાડીને ઝાડ સાથે અથડાવી દીધી હતી. આ કાર એટલી ખરાબ રીતે ફસાઇ ગઇ હતી કે તેને કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી.આ અકસ્માત થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. એ વેળાએ અત્રેના રોડ પરથી પસાર થતા ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ પણ અકસ્માત જોઈને રોકાઈ ગયા હતા.

આ અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર સસરા-પુત્રવધૂને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. બાદમાં બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે જયંતિલાલની તબિયત સારવાર દરમ્યાન વધુ પડતી લથડી પડી હતી. અને તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે નિમિતાબેનની ફરીયાદના આધારે સેકટર – 7 પોલીસ ફોર વ્હીલ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિકોનું માનીએ તો ખ- રોડ ઓવરસ્પીડીંગ માટેનો રાજ માર્ગ ગણાય છે. સ્પીડ બ્રેકર નહીં હોવાથી અહીં વાહનો પુરઝડપે દોડે છે. ગાંધીનગર પોલીસને ઓવર સ્પીડીંગ અટકાવવા માટે પુરતા સાધનો અપાયા હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી. કાર્યવાહી થતી નહીં હોવાથી વાહનચાલકો ગતિ મર્યાદા પર ધ્યાન આપતા નથી.

જો કે સમગ્ર ઘટનાની કરુણતાનું જમા પાસું એ રહ્યું કે અકસ્માત સમયે હાજર ગેરેજમાં કામ કરનાર વ્યક્તિએ માનવતા બતાવી બન્ને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. સાથે જ જયંતિભાઇના ખિસ્સામાં રોકડ અને સોનાની ચેઇન સહિતની વસ્તુઓ પરિવારજનોને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ બતાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...