Thursday, January 15, 2026

ગાંધીનગરમાં પણ કારચાલક બન્યો બેફામ, બે કાર વચ્ચે અકસ્માતમાં સારવાર દરમિયાન સસરાનું મોત, પુત્રવધૂની હાલત ગંભીર

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ કારચાલક બેફામ બન્યા છે. ગાંધીનગરનાં સરગાસણથી ખ – 3 તરફ જતાં રોડ ઉપર કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી ડિવાઇડર કુદાવી અલ્ટો ગાડી સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં અલ્ટોમાં સવાર ગંભીર ઈજાગ્રસ્ત સસરાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જ્યારે હોસ્પિટલમાં દાખલ પુત્રવધૂની હાલત પણ નાજુક હોવાના પગલે સઘન સારવાર આપવામાં આવી છે. આ અંગે સેકટર-7 પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ઓઢવ નવરંગ સ્કૂલની બાજુમાં ચંદ્રનગર સોસાયટીમાં નિમિતાબેન હેમંતભાઈ જોષી પોસ્ટનું કામ કરી ગુજરાન ચલાવે છે. ગત તા. 21 મી એપ્રિલે નિમિતાબેન તેમના સસરા જયંતીલાલ મનસુખલાલ જોષી સાથે અલ્ટો ગાડીમાં વતન રાંધેજા ખાતે પ્રસંગ હોવાથી જતા હતા. અને સાંજના આશરે ચારેક વાગે ગાંધીનગર સરગાસણથી ખ-૩ તરફથી પસાર થઈ રહ્યા હતા.

આ દરમિયાન ફોર વ્હીલ ગાડી (GJ-18-EA-6625) ના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર કુદાડી અલ્ટો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. અને ગાડીને ઝાડ સાથે અથડાવી દીધી હતી. આ કાર એટલી ખરાબ રીતે ફસાઇ ગઇ હતી કે તેને કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી.આ અકસ્માત થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. એ વેળાએ અત્રેના રોડ પરથી પસાર થતા ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ પણ અકસ્માત જોઈને રોકાઈ ગયા હતા.

આ અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર સસરા-પુત્રવધૂને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. બાદમાં બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જો કે જયંતિલાલની તબિયત સારવાર દરમ્યાન વધુ પડતી લથડી પડી હતી. અને તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે નિમિતાબેનની ફરીયાદના આધારે સેકટર – 7 પોલીસ ફોર વ્હીલ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

સ્થાનિકોનું માનીએ તો ખ- રોડ ઓવરસ્પીડીંગ માટેનો રાજ માર્ગ ગણાય છે. સ્પીડ બ્રેકર નહીં હોવાથી અહીં વાહનો પુરઝડપે દોડે છે. ગાંધીનગર પોલીસને ઓવર સ્પીડીંગ અટકાવવા માટે પુરતા સાધનો અપાયા હોવા છતાં તેનો ઉપયોગ થતો નથી. કાર્યવાહી થતી નહીં હોવાથી વાહનચાલકો ગતિ મર્યાદા પર ધ્યાન આપતા નથી.

જો કે સમગ્ર ઘટનાની કરુણતાનું જમા પાસું એ રહ્યું કે અકસ્માત સમયે હાજર ગેરેજમાં કામ કરનાર વ્યક્તિએ માનવતા બતાવી બન્ને ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા. સાથે જ જયંતિભાઇના ખિસ્સામાં રોકડ અને સોનાની ચેઇન સહિતની વસ્તુઓ પરિવારજનોને સોંપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ બતાવ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...