Saturday, March 14, 2026

ગુજરાત કોલેજ પાસેના ફ્લેટના ચોથા માળે લાગી ભીષણ આગ, 40 લોકોનું કરાયું રેસ્ક્યૂ

spot_img
Share

અમદાવાદ: શહેરના ગુજરાત કોલેજ પાસેના મધુવન ફ્લેટના ચોથા માળે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. ફાયરની ટીમ અને અધિકારીઓ દ્વારા એક કલાકની જહેમત બાદ આ આગને કાબૂમાં લઇ લેવામાં આવી છે.સદનસીબે આ આગમાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. આ આગને કારણે 80 વર્ષના વૃદ્ધને ફર્સ્ટ એડ આપીને સારવાર આપવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરની ગુજરાત કોલેજના વિસ્તારમાં આવેલા મધુવન ફ્લેટમાં ચૌથા મળે આજે સવારે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઇ હતી. જોકે, એક કલાકની જહેમત બાદ આ આગને કાબૂમાં લઇ લેવામાં આવી છે. ફાયરની ટીમ અને અધિકારીઓ રેસ્ક્યૂની કામગીરીમાં લાગ્યા છે. આ ફ્લેટમાં લાગેલી આગ અને તેના ધૂમાડામાંથી ફાયર બ્રિગેડે 40 જેટલા લોકોનું રેસ્ક્યૂ કર્યુ છે.આ ફ્લેટ કોમર્શિયલ છે. આજે સોમવાર હતો, જેના કારણે અહીં મોટા પ્રમાણમાં લોકો કામ કરી રહ્યા હતા. હાલ પ્રાથમિક તારણ પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોય તેવું સામે આવ્યું છે. પરંતુ હજી આગનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલના રિપોર્ટની રાહ જોવી પડશે.

શહેરમાં થોડા દિવસ પહેલા જ અમદાવાદના બોપલ વિસ્તારના જાણીતા TRP મોલમાં પણ ભીષણ આગ લાગી હતી. આ આગ રાત્રે લગભગ 11 પછી આ આગનો બનાવ બન્યો હતો. આગના બનાવ વિશે માહિતી મળતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. બોપલના ટીઆરપી મોલમાં ભયંક આગ લાગવાની ઘટના શનિવારે રાતના સમયે બની હતી. આ આગની ઘટના મલમાં આવેલા ગેમિંગ ઝોનમાં લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે આગનો ધૂમાડો 1થી 2 કિલોમીટર અંતરેથી દેખાઈ રહ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...