Wednesday, March 11, 2026

નારણપુરાની એક સોસાયટીના રિડેવલપમેન્ટ મામલે હાઇકોર્ટનો ચુકાદો, કોઈ એક સભ્યને કારણે રિડેવલપમેન્ટ ન રોકી શકાય

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ વર્ષમાં જૂના એપાર્ટમેન્ટના રિડેવલપમેન્ટમાં જોરદાર તેજી આવી છે. ત્યારે આવામાં ગુજરાત હાઈકોર્ટે રિડેવલપમેન્ટ મામલે વધુ એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે જો કોઈ સોસાયટીનો એક પણ સભ્ય તેની વિરુદ્ધ હોય તો તેના કારણે રિડેવલપમેન્ટ અટકાવી શકાય નહીં. હાઇકોર્ટે તાજેતરમાં નારણપુરામાં 36 વર્ષ જૂની સોસાયટીના અટવાયેલા પુનર્વિકાસના સંદર્ભમાં આ ચુકાદો આપ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ નારણપુરામાં નવરંગ સર્કલ પાસે આવેલી ઋતુલ પાર્ક સોસાયટીનું બાંધકામ 1978માં થયું હતું, પરંતુ 12 મેમ્બર્સ ધરાવતી આ સોસાયટી છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરિત અવસ્થામાં આવી હતી તેમજ તેને રહેવા માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવી હતી.બિલ્ડિંગનું બાંધકામ જોખમી બન્યા બાદ સોસાયટીના સભ્યોએ તેને રિડેવલપ કરવાનું નક્કી કર્યું હતું.

બિલ્ડિંગ અસુરક્ષિત બની જતાં સોસાયટીએ રિડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ કરી હતી, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા એક સભ્યે તેનો વિરોધ કરતાં દલીલ કરી હતી કે તેમનો ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવાથી તેમને પણ ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવાનો અધિકાર મળ્યો છે. જે રિડેવલપમેન્ટ બાદ શક્ય બનશે નહીં.જેથી રિડેવલપમેન્ટ મામલે કેસ પણ દાખલ કર્યો હતો, પરંતુ હાઈકોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી અને ગુજરાત ઓનરશિપ ફ્લેટ્સ એક્ટ, 1973ની જોગવાઈઓ હેઠળ રિતુલ પાર્ક સોસાયટીના રિડેવલપમેન્ટને મંજૂરી આપી હતી.

ગુજરાત હાઈકોર્ટે સોસાયટીના આ મેમ્બરને મકાન ખાલી કરવાનો નિર્દેશ આપતા જણાવ્યું હતું કે સોસાયટીનાં રિડેવલપમેન્ટનું કામ પૂરૂં ના થાય ત્યાં સુધી તેમને હંગામી ધોરણે બીજી જગ્યાએ રહેવું પડશે, પરંતુ તેને લોસ ઓફ પ્રોપર્ટી ના ગણી શકાય. જસ્ટિસ વી.ડી. નાણાવટીએ પોતાના ચુકાદામાં એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે રિડેવલપમેન્ટ સોસાયટીના બહુમતિ સભ્યોના ટેકા સાથે તેમના જ હિતમાં થઈ રહ્યું છે, જેનો લાભ સોસાયટીના તમામ સભ્યોને તેમના વ્યક્તિગત પ્રોપર્ટી રાઈટ્સને અસર કર્યા વિના પ્રાપ્ત થશે.

36 વર્ષ જૂની સોસાયટીના રિડેવલપમેન્ટનો માર્ગ સાફ કરતાં ગુજરાત હાઈકોર્ટે પણ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે જ્યારે એક સભ્ય સિવાય દરેક જણ તેના માટે તૈયાર હોય ત્યારે બહુમતી સભ્યોના નિર્ણયની અસર ન થવી જોઈએ. કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે ખુલ્લી જગ્યાના ઉપયોગના અધિકાર સામે વાંધો ઉઠાવતા સભ્ય દ્વારા દાખલ કરાયેલા કેસને કારણે સોસાયટીના રિડેવલપમેન્ટને રોકી શકાય નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...