Wednesday, March 4, 2026

રાણીપની આ સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, જાણો કેટલા વાગે કરશે મતદાન, અમિત શાહ, આનંદીબેન પણ આવશે

spot_img
Share

અમદાવાદ : લોકસભાની ચૂંટણીને લઈને દેશભરનું રાજકારણ ગરમાયું છે. અલગ અલગ પાર્ટીઓ મતદારોને રિઝવવાના પ્રયાસમાં લાગી છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ એટલે કે 7 મી મેના રોજ ગુજરાતભરમાં મતદાન થવાનું છે. જેમાં મતદાન કરવા PM નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવવાના છે .

પ્રાપ્ત રિપોર્ટ મુજબ PM નરેન્દ્ર મોદી અમદાવાદથી મતદાન કરવાના છે, તમને જણાવી દઈએ કે પીએમ 7મી તારીતે સવારે 7.30 કલાકે રાણીપની નિશાન વિદ્યાલયમાં PM મોદી પોતાનો મત આપવા ગુજરાત આવશે. ત્યારે હવે ફરી PM ના ગુજરાતમાં આગમનને લઈને અગાઉથી જ સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરામાં મતદાન કરશે. અમિત શાહ નારણપુરાની શાળામાં સવારે 9.30 વાગ્યે મતદાન કરશે. ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે. આનંદીબેન પટેલ શીલજમાં સવારે 10 વાગ્યે મતદાન કરશે. સવારે 11 વાગ્યા પહેલા તમામ મોટા નેતાઓ મતદાન કરશે.

ક્યા નેતા ક્યા કરશે મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપમાં મતદાન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થલતેજમાં મતદાન કરશે
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ખાનપુર ખાતે મતદાન કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં મતદાન કરશે
ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ નવસારીમાં મતદાન કરશે

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયામાં મતદાન કરશે
વજુભાઇ વાળા રાજકોટમાં મતદાન કરશે
મનસુખ માંડવિયા પાલીતાણામાં મતદાન કરશે
પરશોત્તમ રૂપાલા અમરેલીમાં મતદાન કરશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં મતદાન કરશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...