Thursday, April 30, 2026

રાણીપની આ સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, જાણો કેટલા વાગે કરશે મતદાન, અમિત શાહ, આનંદીબેન પણ આવશે

spot_img
Share

અમદાવાદ : લોકસભાની ચૂંટણીને લઈને દેશભરનું રાજકારણ ગરમાયું છે. અલગ અલગ પાર્ટીઓ મતદારોને રિઝવવાના પ્રયાસમાં લાગી છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ એટલે કે 7 મી મેના રોજ ગુજરાતભરમાં મતદાન થવાનું છે. જેમાં મતદાન કરવા PM નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવવાના છે .

પ્રાપ્ત રિપોર્ટ મુજબ PM નરેન્દ્ર મોદી અમદાવાદથી મતદાન કરવાના છે, તમને જણાવી દઈએ કે પીએમ 7મી તારીતે સવારે 7.30 કલાકે રાણીપની નિશાન વિદ્યાલયમાં PM મોદી પોતાનો મત આપવા ગુજરાત આવશે. ત્યારે હવે ફરી PM ના ગુજરાતમાં આગમનને લઈને અગાઉથી જ સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી નારણપુરામાં મતદાન કરશે. અમિત શાહ નારણપુરાની શાળામાં સવારે 9.30 વાગ્યે મતદાન કરશે. ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે. આનંદીબેન પટેલ શીલજમાં સવારે 10 વાગ્યે મતદાન કરશે. સવારે 11 વાગ્યા પહેલા તમામ મોટા નેતાઓ મતદાન કરશે.

ક્યા નેતા ક્યા કરશે મતદાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપમાં મતદાન કરશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ થલતેજમાં મતદાન કરશે
ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ખાનપુર ખાતે મતદાન કરશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં મતદાન કરશે
ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ નવસારીમાં મતદાન કરશે

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયામાં મતદાન કરશે
વજુભાઇ વાળા રાજકોટમાં મતદાન કરશે
મનસુખ માંડવિયા પાલીતાણામાં મતદાન કરશે
પરશોત્તમ રૂપાલા અમરેલીમાં મતદાન કરશે
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં મતદાન કરશે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...