Wednesday, March 11, 2026

અનોખી પહેલ, આવતીકાલે AMTS બસમાં મફત મુસાફરી કરો, પણ મતદાન કર્યાની નિશાની બતાવવી પડશે

spot_img
Share

અમદાવાદ: લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ મહાપાલિકા સંચાલિત AMTS દ્વારા મતદાન કરનારાઓને નિશુલ્ક મુસાફરીનો નિર્ણય કરાયો છે.વધુમાં વધુ મતદાન થાય તે માટે AMTS તંત્રએ આ નિર્ણય કર્યો છે.મતદાન કરેલી સહીનું નિશાન બતાવી મુસાફરો નિશુલ્ક મુસાફરી કરી શકશે.

મળતી વિગતો મુજબ,લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે AMTS એક મોટો નિર્ણય લીધો છે.આવતીકાલે 7મી મેના રોજ મતદાન છે ત્યારે એક દિવસ માટે મતદાન કરનાર દરેક વ્યક્તિને AMTS નિ:શુલ્ક પ્રવાસ કરાવશે.જેના માટે મતદાન કરનાર વ્યક્તિએ આંગળી પર સહીનું નિશાન બતાવવાનું રહેશે અને જેની આંગળી પર સહીનું નિશાન બતાવશે તે નિ:શુલ્ક પ્રવાસના AMTSના નિર્ણયનો લાભ લઈ શકશે.

લોકો લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી આ નિ:શુલ્ક પ્રવાસનો નિર્ણય લેવામાં આવ્યો છે.મહત્વનું છે કે, આ નિર્ણય 7 મે એટલે કે,આવતીકાલ પૂરતો જ સીમિત છે.જેથી AMTS દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ મતદાન કરવામાં આવે અને આ તકનો લાભ ઉઠાવવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે ગુજરાતની લોકસભાની 25 બેઠકો ઉપરાંત વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં મતદાન થશે. લોકશાહીના આ મહાપર્વમાં આવતીકાલે દિગ્ગજો ગુજરાતમાં મતદાનનો ઉપયોગ કરશે. આવતીકાલે PM મોદી રાણીપમાં સવારે 7.30 વાગ્યે પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...