Thursday, March 5, 2026

અમદાવાદ DEO દ્વારા નવતર પ્રયોગ, જો સ્કૂલ એડમિશન ન આપે તો જાણ કરો

spot_img
Share

અમદાવાદ : શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળા વિશે શું તમે જાણો છો? શું સરકારી ગ્રાન્ટેડ શાળામાં તમારા બાળકનું એડમિશન લેવા માગો છો, તો અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવેલો આ નવતર પ્રયોગ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકશે. તમારા ઘરના નજીકના અંતરે કઈ અને કેટલી સરકારી ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે અને તેમાં એડમિશન લેવા માટે શું કરી શકાય, આવી શાળામાં અભ્યાસ કરવાથી કયા સરકારી લાભો મળી શકે, તે તમામ જાણકારી આ નવતર પ્રયોગ દ્વારા આપવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ DEO એ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે જેમાં QR કોડ તથા ગુગલ લીંક મારફતે વિદ્યાર્થીઓ પોતાના ઘર નજીક કે અન્ય ઠેકાણાની ગ્રાન્ટેડ સ્કૂલોની માહિતી મેળવી શકશે.તે સિવાય ધો.9 અને 12 માં પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તો પ્રવેશ પણ મેળવી શકશે. જો કોઈ ગ્રાન્ટેડ સ્કૂલ કોઈ બિનજરૂરી કારણથી પ્રવેશ આપવાનો ઈન્કાર કરે તો DEO કચેરી દ્વારા પ્રવેશમાં મદદ કરાશે.

તમને જણાવી દઈએ કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં નજીવા કે નહિવત ફી ના ધોરણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવાય છે. તે અંગે કેટલાક વાલીઓ અજાણ છે. વાલીઓમાં ગ્રાન્ટેડ સ્કૂલો અંગે જાગૂતિ આવે તથા બાળકને ગ્રાન્ટેડ સ્કૂલમાં શિક્ષણ આપી શકે તે માટે DEO દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે. જેના માટે DEO દ્વારા તૈયાર કરાયેલી લીંક પર ક્લિક કરવાથી વાલીઓને શહેરની તમામ ગ્રાન્ટેડ સાળાઓનું લિસ્ટ મળશે.

આ ગ્રાન્ટેડ સ્કૂલામા લિસ્ટ સિવાય ગુગલ મેપનું લોકેશન, સ્કૂલનું સરનામુ, આચાર્યના નામ અને નંબર સહિતની તમામ વિગતો એક ક્લિકથી વાલીઓને મળી રહેશે. જો સ્કૂલ દ્વારા પ્રવેશ ન મળે તો DEO કચેરીના સારથી હેલ્પલાઈન નંબર 9909922648 નંબર પર મેસેજ કરીને મદદ મેળવી શકાશે.

અમદાવાદ શહેરના DEO રોહિત ચૌધરીનું કહેવું છે કે અમદાવાદમાં 312 ગ્રાન્ટેડ સ્કૂલો છે. આ સ્કૂલોમાં 1150 થી પણ વધુ વર્ગ છે. અંદાજે 75,000 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલોની બેઠક છે. જેમાં વિદ્યાર્થીઓ એડમિશન મેળવી શકશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...