અમદાવાદ : શહેરમાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય એવા તમામ ચાર રસ્તોઓ પર CCTV લગાવવામાં આવેલા છે. ટ્રાફિક પોલીસ તેમજ AMC ના કન્ટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે છેલ્લા બે વર્ષથી 82 જંકશનો પરના સીસીટીવી કેમેરા બંધ હતા. તેને મરામત કરીને ફરી ચાલુ કરાતા હવે 82 જેટલા ચાર રસ્તાઓ પર CCTV કેમેરા દ્વારા ટ્રાફિક ભંગના ગુના સામે દેખરેખ રાખવામાં આવશે. અને પ્રતિદિન 4500 જેટલા ઈ-મેમો ઈસ્યુ કરાશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં 212 જંક્શન પરથી ઈમેમો જનરેટ કરવામાં આવે છે. આ જંક્શનો પૈકી સ્માર્ટ સિટી જંક્શન અંતર્ગત 130 જંક્શન પર 2,303 કેમેરા જ્યારે CMITMS ના(સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ) 82 જંક્શનો પર 254 કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા બે વર્ષથી CMITMS સાથેનો કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી આ 82 જંક્શનો પરના 254 કેમેરાઓ બંધ હાલતમાં હતા, જ્યારે 130 જંકશનો પૈકી 85 જંકશનોમાં CCTV વાયર કપાઈ, જવા, કેમેરાની દિશા બદલાઈ જવી, કેમેરા ડિસ્મેન્ટલ થવા, સ્ટોપ લાઈનની સમસ્યા સહિતના કારણોથી આ જંકશનો પરના CCTV કેમેરા બંધ થઈ ગયા હતા. જો કે મ્યુની દ્વારા આ જંકશનો શરૂ કરી દેવામાં આવ્યા હતા. જેથી મ્યુનિ દ્વારા કરાર રીન્યુ કરવામાં આવતા આ તમામ જંકશનો ચાલુ કરી દેવામાં આવ્યા છે અને આ જંકશનો પર હાલ 220 જેટલા કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં જે 82 જંક્શનો પર સીસીટીવી કેમેરા શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં એઈસી, એરપોર્ટ, અખબારનગર, અંજલી, અપસરા સિનેમા, અસલાલી, બાકરોલ, શીલજ-બોપલ રોડ, બોપલ સર્કલ, ચિમનભાઈ બ્રીજ, ચોખા બજાર, સર્કિટ હાઉસ, સિવિલ હોસ્પિટલ, સીટીએમ, દાણીલીમડા, દાસ્તાન સર્કલ, દહેગામ સર્કલ, દિલ્હી દરવાજા, ગીતામંદિર, ઘી કાટા, ગોતા, હજરત શ્રી અલી દરગાહ, હાટકેશ્વર, હેલમેટ સર્કલ, આઈઆઈએમ, ઈન્કમટેક્ષ, ઈસ્કોન, જમાલપુર, જનપથ ટી, જશોદાનગર, જવાહર ચોક, ઝુન્ડાલ સર્કલ, જુહાપુરા, કમોર્ડ સર્કલ, કર્ણાવતી, ખમાસા, ખોખરા, માનસી, મેમ્કો, મધર ડેરી સર્કલ, નરોડા પાટિયા, નારોલ સર્કલ, નેશનલ હાઈવે ટોલ 1, નવી હાઈકોર્ટ, નહેરુનગર, નિકોલ, ઓઢવ, ઓગણજ, નવા વાડજ, પકવાન, પાલડી, પ્રેમ દરવાજા, પુષ્પકુંજ સર્કલ, રાણીપ, રખિયાલ, આરટીઓ, રૂબી ટી, સાણંદ, સાણંદ ટાવર, સનાથલ, સારંગપુર સહિતના જંક્શનનો સમાવેશ થાય છે


