Sunday, January 18, 2026

અખબારનગર સહિત આ 82 જંક્શન પરના બંધ CCTV ફરી શરૂ કરાતા રોજ 4500 મેમો ઈસ્યુ કરાશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય એવા તમામ ચાર રસ્તોઓ પર CCTV લગાવવામાં આવેલા છે. ટ્રાફિક પોલીસ તેમજ AMC ના કન્ટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે છેલ્લા બે વર્ષથી 82 જંકશનો પરના સીસીટીવી કેમેરા બંધ હતા. તેને મરામત કરીને ફરી ચાલુ કરાતા હવે 82 જેટલા ચાર રસ્તાઓ પર CCTV કેમેરા દ્વારા ટ્રાફિક ભંગના ગુના સામે દેખરેખ રાખવામાં આવશે. અને પ્રતિદિન 4500 જેટલા ઈ-મેમો ઈસ્યુ કરાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં 212 જંક્શન પરથી ઈમેમો જનરેટ કરવામાં આવે છે. આ જંક્શનો પૈકી સ્માર્ટ સિટી જંક્શન અંતર્ગત 130 જંક્શન પર 2,303 કેમેરા જ્યારે CMITMS ના(સિટી સર્વેલન્સ અને ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ) 82 જંક્શનો પર 254 કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા બે વર્ષથી CMITMS સાથેનો કરાર પૂર્ણ થઈ ગયો હોવાથી આ 82 જંક્શનો પરના 254 કેમેરાઓ બંધ હાલતમાં હતા, જ્યારે 130 જંકશનો પૈકી 85 જંકશનોમાં CCTV વાયર કપાઈ, જવા, કેમેરાની દિશા બદલાઈ જવી, કેમેરા ડિસ્મેન્ટલ થવા, સ્ટોપ લાઈનની સમસ્યા સહિતના કારણોથી આ જંકશનો પરના CCTV કેમેરા બંધ થઈ ગયા હતા. જો કે મ્યુની દ્વારા આ જંકશનો શરૂ કરી દેવામાં આવ્યા હતા. જેથી મ્યુનિ દ્વારા કરાર રીન્યુ કરવામાં આવતા આ તમામ જંકશનો ચાલુ કરી દેવામાં આવ્યા છે અને આ જંકશનો પર હાલ 220 જેટલા કેમેરા લગાવી દેવામાં આવ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં જે 82 જંક્શનો પર સીસીટીવી કેમેરા શરૂ કરી દેવામાં આવ્યા છે. જેમાં એઈસી, એરપોર્ટ, અખબારનગર, અંજલી, અપસરા સિનેમા, અસલાલી, બાકરોલ, શીલજ-બોપલ રોડ, બોપલ સર્કલ, ચિમનભાઈ બ્રીજ, ચોખા બજાર, સર્કિટ હાઉસ, સિવિલ હોસ્પિટલ, સીટીએમ, દાણીલીમડા, દાસ્તાન સર્કલ, દહેગામ સર્કલ, દિલ્હી દરવાજા, ગીતામંદિર, ઘી કાટા, ગોતા, હજરત શ્રી અલી દરગાહ, હાટકેશ્વર, હેલમેટ સર્કલ, આઈઆઈએમ, ઈન્કમટેક્ષ, ઈસ્કોન, જમાલપુર, જનપથ ટી, જશોદાનગર, જવાહર ચોક, ઝુન્ડાલ સર્કલ, જુહાપુરા, કમોર્ડ સર્કલ, કર્ણાવતી, ખમાસા, ખોખરા, માનસી, મેમ્કો, મધર ડેરી સર્કલ, નરોડા પાટિયા, નારોલ સર્કલ, નેશનલ હાઈવે ટોલ 1, નવી હાઈકોર્ટ, નહેરુનગર, નિકોલ, ઓઢવ, ઓગણજ, નવા વાડજ, પકવાન, પાલડી, પ્રેમ દરવાજા, પુષ્પકુંજ સર્કલ, રાણીપ, રખિયાલ, આરટીઓ, રૂબી ટી, સાણંદ, સાણંદ ટાવર, સનાથલ, સારંગપુર સહિતના જંક્શનનો સમાવેશ થાય છે

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...