Saturday, May 2, 2026

SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ઇકો ચાલકે મા-બાપ વિનાના દીકરાને 200 મીટર સુધી ઢસડ્યો, થયું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં SG હાઈવે પર સોલા સિવિલ પાસે હીટ એન્ડ રનની ઘટનાં બનવા પામી હતી. જેમાં રોડની બાજુમાં ઉભેલા 15 વર્ષનાં અમનને ઈકો કાર ચાલકે યુવકને કારની અડફેટે લઈ યુવકને 200 મીટર સુધી ઢસડ્યો હતો. સ્થાનિકો દ્વારા બુમો પાડવા છતાં ઈકો કાર ચાલક દ્વારા ગાડી ન રોકતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. ત્યારે આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ ઈકો કાર કબ્જે કરી છે. જ્યારે ઈકો કાર ચાલક ફરાર હોઈ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં રબારી કોલોની વિસ્તારમાં રહેતા અમનને ગત તા 10 મીએ સવારે ઇકો ગાડી દ્વારા અડફેટે લઈને ગંભીર ઇજાગ્રસ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રોજ સવારે 9 વાગ્યે અમન ઘરેથી નીકળી મેટ્રોમાં એસજી હાઈવે ઉપર આવેલી આરસી ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે નીકળતો હતો. રોજની જેમ ગત શુક્રવારે સવારે પણ કોલેજમાં એસાઈનમેન્ટ સબમિસન માટે કોલેજ પહોંચ્યો હતો. આ દરમિયાન અમન મિત્ર સાથે હાઈવે સાઈડની બાજુ રોડ પર અંદરની સાઈડ ઊભો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે એક ઇકો ગાડી આવી અને અમનને ઢસડીને 200 મીટર દૂર સુધી લઈ ગઈ હતી. બમ્પ આવતાં ગાડી ઊછળતા આગળ અને પાછળના ટાયર અમનની છાતી પરથી ફરી વળ્યાં હતાં.

અકસ્માત સર્જાતા આજુબાજુનાં લોકો તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. અને અમનને સારવાર અર્થે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અમનનાં મિત્ર દ્વારા તેને તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે અમન સંપૂર્ણ ભાનમાં હતો. તેમજ સોલા સિવિલ હોસ્પિટલમાં 45 મિનિટ સુધી ગ્લુકોઝની બોટલ ચઢાવીને તપાસ કરવામાં આવી હતી. પૂરતા સાધનોનો અભાવ હોવાથી અમનને અસારવા સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હોવાનું તેની પિતરાઈ બહેને જણાવ્યું હતું.

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ અમનના મોઢામાંથી ફીણ નીકળી ગયાં હતાં અને તેનું શરીર પણ ઠંડું પડી ગયું હતું. સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના હાજર તબીબે અમનને મૃત જાહેર કર્યો હતો.પોલીસે ઇકો કાર કબ્જે કરી છે, જ્યારે તેનો ચાલક ફરાર છે. પોલીસે તેની શોધખોળ કરી રહી છે.

આ સમગ્ર મામલે અમનની પિતરાઈ બહેન મયૂરી ચિતારાએ જણાવ્યું હતું કે, અમનનાં માતા-પિતાનું અવસાન થયેલ છે. અમનનાં મમ્મી 8 વર્ષ પહેલા અને તેના પિતા 10 વર્ષ પહેલા નિધન પામ્યા છે. તેમજ છેલ્લા 10 વર્ષથી તે મારી સાથે રહે છે. તેમજ અમનથી મોટો એક ભાઈ છે જે 17 વર્ષનો છે. તેમજ એક નાનો ભાઈ છે જે 13 વર્ષનો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...