Tuesday, January 20, 2026

SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ઇકો ચાલકે મા-બાપ વિનાના દીકરાને 200 મીટર સુધી ઢસડ્યો, થયું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં SG હાઈવે પર સોલા સિવિલ પાસે હીટ એન્ડ રનની ઘટનાં બનવા પામી હતી. જેમાં રોડની બાજુમાં ઉભેલા 15 વર્ષનાં અમનને ઈકો કાર ચાલકે યુવકને કારની અડફેટે લઈ યુવકને 200 મીટર સુધી ઢસડ્યો હતો. સ્થાનિકો દ્વારા બુમો પાડવા છતાં ઈકો કાર ચાલક દ્વારા ગાડી ન રોકતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. ત્યારે આ સમગ્ર બાબતે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તેમજ ઈકો કાર કબ્જે કરી છે. જ્યારે ઈકો કાર ચાલક ફરાર હોઈ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં રબારી કોલોની વિસ્તારમાં રહેતા અમનને ગત તા 10 મીએ સવારે ઇકો ગાડી દ્વારા અડફેટે લઈને ગંભીર ઇજાગ્રસ્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રોજ સવારે 9 વાગ્યે અમન ઘરેથી નીકળી મેટ્રોમાં એસજી હાઈવે ઉપર આવેલી આરસી ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે નીકળતો હતો. રોજની જેમ ગત શુક્રવારે સવારે પણ કોલેજમાં એસાઈનમેન્ટ સબમિસન માટે કોલેજ પહોંચ્યો હતો. આ દરમિયાન અમન મિત્ર સાથે હાઈવે સાઈડની બાજુ રોડ પર અંદરની સાઈડ ઊભો હતો. આ દરમિયાન પૂરપાટ ઝડપે એક ઇકો ગાડી આવી અને અમનને ઢસડીને 200 મીટર દૂર સુધી લઈ ગઈ હતી. બમ્પ આવતાં ગાડી ઊછળતા આગળ અને પાછળના ટાયર અમનની છાતી પરથી ફરી વળ્યાં હતાં.

અકસ્માત સર્જાતા આજુબાજુનાં લોકો તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા. અને અમનને સારવાર અર્થે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અમનનાં મિત્ર દ્વારા તેને તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે અમન સંપૂર્ણ ભાનમાં હતો. તેમજ સોલા સિવિલ હોસ્પિટલમાં 45 મિનિટ સુધી ગ્લુકોઝની બોટલ ચઢાવીને તપાસ કરવામાં આવી હતી. પૂરતા સાધનોનો અભાવ હોવાથી અમનને અસારવા સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો હોવાનું તેની પિતરાઈ બહેને જણાવ્યું હતું.

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ અમનના મોઢામાંથી ફીણ નીકળી ગયાં હતાં અને તેનું શરીર પણ ઠંડું પડી ગયું હતું. સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના હાજર તબીબે અમનને મૃત જાહેર કર્યો હતો.પોલીસે ઇકો કાર કબ્જે કરી છે, જ્યારે તેનો ચાલક ફરાર છે. પોલીસે તેની શોધખોળ કરી રહી છે.

આ સમગ્ર મામલે અમનની પિતરાઈ બહેન મયૂરી ચિતારાએ જણાવ્યું હતું કે, અમનનાં માતા-પિતાનું અવસાન થયેલ છે. અમનનાં મમ્મી 8 વર્ષ પહેલા અને તેના પિતા 10 વર્ષ પહેલા નિધન પામ્યા છે. તેમજ છેલ્લા 10 વર્ષથી તે મારી સાથે રહે છે. તેમજ અમનથી મોટો એક ભાઈ છે જે 17 વર્ષનો છે. તેમજ એક નાનો ભાઈ છે જે 13 વર્ષનો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...