Thursday, April 30, 2026

અમદાવાદીઓ માટે ખુશખબર, મેટ્રો સ્ટેશનથી AMTS-BRTS બસની ફીડર બસ સેવા શરુ થશે, સર્વે હાથ ધર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નાગરિકો હવે મેટ્રો ટ્રેનમાં વધુ મુસાફરી કરી રહ્યા છે. જો કે, મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને રિક્ષામાં અથવા ચાલતા જવું પડે છે. જેને ધ્યાનમાં રાખી મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને બસની સુવિધા મળી રહે તેના માટે હવે ફીડર બસ સેવા શરૂ કરવા અંગેનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. કયા મેટ્રો સ્ટેશનથી ક્યાં સુધી ફીડર બસ સેવા શરૂ થઈ શકે? તેમજ વધારે પેસેન્જર કયા રૂટ ઉપર મળી શકે? તે અંગેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે મુસાફરોને બસની સુવિધા મળી રહે તેના માટે ફીડર બસ શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. ફીડર બસની સેવા શરૂ કરવા માટે કયા સ્ટેશન પર વધારે પેસેન્જર ઉતરે છે? અને કયા રૂટ ઉપર વધારે જાય છે? તેના માટે એક સર્વે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે સર્વે પૂર્ણ થયા બાદ ક્યાં ફીડર બસ સેવા શરૂ કરવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

હાલમાં પૂર્વ વિસ્તારમાં ફીડર બસ શરૂ કરવા અંગેનો સર્વે ચાલી રહ્યો છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થશે ત્યારબાદ ફીડર બસ સેવા શરૂ કરવામાં આવશે. હાલમાં મેટ્રો સુધી પહોંચવા માટે લોકોને શટલ રીક્ષા કરવી પડે છે અને વધુ ભાડું ચૂકવવું પડે છે. જેથી લોકો રાહત દરે બસમાં મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકે તેના માટે આ સુવિધા શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેનમાં રોજના 50000થી વધુ લોકો મુસાફરી કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...