Sunday, March 15, 2026

અમદાવાદીઓ માટે ખુશખબર, મેટ્રો સ્ટેશનથી AMTS-BRTS બસની ફીડર બસ સેવા શરુ થશે, સર્વે હાથ ધર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નાગરિકો હવે મેટ્રો ટ્રેનમાં વધુ મુસાફરી કરી રહ્યા છે. જો કે, મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને રિક્ષામાં અથવા ચાલતા જવું પડે છે. જેને ધ્યાનમાં રાખી મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને બસની સુવિધા મળી રહે તેના માટે હવે ફીડર બસ સેવા શરૂ કરવા અંગેનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. કયા મેટ્રો સ્ટેશનથી ક્યાં સુધી ફીડર બસ સેવા શરૂ થઈ શકે? તેમજ વધારે પેસેન્જર કયા રૂટ ઉપર મળી શકે? તે અંગેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે મુસાફરોને બસની સુવિધા મળી રહે તેના માટે ફીડર બસ શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. ફીડર બસની સેવા શરૂ કરવા માટે કયા સ્ટેશન પર વધારે પેસેન્જર ઉતરે છે? અને કયા રૂટ ઉપર વધારે જાય છે? તેના માટે એક સર્વે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે સર્વે પૂર્ણ થયા બાદ ક્યાં ફીડર બસ સેવા શરૂ કરવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

હાલમાં પૂર્વ વિસ્તારમાં ફીડર બસ શરૂ કરવા અંગેનો સર્વે ચાલી રહ્યો છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થશે ત્યારબાદ ફીડર બસ સેવા શરૂ કરવામાં આવશે. હાલમાં મેટ્રો સુધી પહોંચવા માટે લોકોને શટલ રીક્ષા કરવી પડે છે અને વધુ ભાડું ચૂકવવું પડે છે. જેથી લોકો રાહત દરે બસમાં મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકે તેના માટે આ સુવિધા શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેનમાં રોજના 50000થી વધુ લોકો મુસાફરી કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...