Saturday, January 17, 2026

અમદાવાદીઓ માટે ખુશખબર, મેટ્રો સ્ટેશનથી AMTS-BRTS બસની ફીડર બસ સેવા શરુ થશે, સર્વે હાથ ધર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નાગરિકો હવે મેટ્રો ટ્રેનમાં વધુ મુસાફરી કરી રહ્યા છે. જો કે, મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને રિક્ષામાં અથવા ચાલતા જવું પડે છે. જેને ધ્યાનમાં રાખી મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને બસની સુવિધા મળી રહે તેના માટે હવે ફીડર બસ સેવા શરૂ કરવા અંગેનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. કયા મેટ્રો સ્ટેશનથી ક્યાં સુધી ફીડર બસ સેવા શરૂ થઈ શકે? તેમજ વધારે પેસેન્જર કયા રૂટ ઉપર મળી શકે? તે અંગેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે મુસાફરોને બસની સુવિધા મળી રહે તેના માટે ફીડર બસ શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. ફીડર બસની સેવા શરૂ કરવા માટે કયા સ્ટેશન પર વધારે પેસેન્જર ઉતરે છે? અને કયા રૂટ ઉપર વધારે જાય છે? તેના માટે એક સર્વે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે સર્વે પૂર્ણ થયા બાદ ક્યાં ફીડર બસ સેવા શરૂ કરવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

હાલમાં પૂર્વ વિસ્તારમાં ફીડર બસ શરૂ કરવા અંગેનો સર્વે ચાલી રહ્યો છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થશે ત્યારબાદ ફીડર બસ સેવા શરૂ કરવામાં આવશે. હાલમાં મેટ્રો સુધી પહોંચવા માટે લોકોને શટલ રીક્ષા કરવી પડે છે અને વધુ ભાડું ચૂકવવું પડે છે. જેથી લોકો રાહત દરે બસમાં મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકે તેના માટે આ સુવિધા શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેનમાં રોજના 50000થી વધુ લોકો મુસાફરી કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...