Monday, November 17, 2025

અમદાવાદીઓ માટે ખુશખબર, મેટ્રો સ્ટેશનથી AMTS-BRTS બસની ફીડર બસ સેવા શરુ થશે, સર્વે હાથ ધર્યો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના નાગરિકો હવે મેટ્રો ટ્રેનમાં વધુ મુસાફરી કરી રહ્યા છે. જો કે, મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને રિક્ષામાં અથવા ચાલતા જવું પડે છે. જેને ધ્યાનમાં રાખી મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને બસની સુવિધા મળી રહે તેના માટે હવે ફીડર બસ સેવા શરૂ કરવા અંગેનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. કયા મેટ્રો સ્ટેશનથી ક્યાં સુધી ફીડર બસ સેવા શરૂ થઈ શકે? તેમજ વધારે પેસેન્જર કયા રૂટ ઉપર મળી શકે? તે અંગેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાં મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે મુસાફરોને બસની સુવિધા મળી રહે તેના માટે ફીડર બસ શરૂ કરવા અંગે વિચારણા હાથ ધરવામાં આવી હતી. ફીડર બસની સેવા શરૂ કરવા માટે કયા સ્ટેશન પર વધારે પેસેન્જર ઉતરે છે? અને કયા રૂટ ઉપર વધારે જાય છે? તેના માટે એક સર્વે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે સર્વે પૂર્ણ થયા બાદ ક્યાં ફીડર બસ સેવા શરૂ કરવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

હાલમાં પૂર્વ વિસ્તારમાં ફીડર બસ શરૂ કરવા અંગેનો સર્વે ચાલી રહ્યો છે. જે આગામી દિવસોમાં પૂર્ણ થશે ત્યારબાદ ફીડર બસ સેવા શરૂ કરવામાં આવશે. હાલમાં મેટ્રો સુધી પહોંચવા માટે લોકોને શટલ રીક્ષા કરવી પડે છે અને વધુ ભાડું ચૂકવવું પડે છે. જેથી લોકો રાહત દરે બસમાં મેટ્રો સ્ટેશન સુધી પહોંચી શકે તેના માટે આ સુવિધા શરૂ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેટ્રો ટ્રેનમાં રોજના 50000થી વધુ લોકો મુસાફરી કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...