Thursday, March 12, 2026

અમદાવાદમાં પ્લે હાઉસને ટક્કર મારે એવી 100 સ્માર્ટ આંગણવાડી બનશે, TV અને રમકડાં સહિતની સુવિધાઓ હશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં AMC દ્વારા જુદા જુદા વિસ્તારોમાં બાળકો માટે આંગણવાડીઓ ચલાવવામાં આવે છે. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં ગરીબ પરિવારોના બાળકો માટે આંગણવાડીઓ આશિર્વાદ સમાન બની રહી છે. હવે AMC ના સત્તાધિશો દ્વારા 100 જેટલી આંગણવાડીઓને રમકડાં સહિત અન્ય સુવિધા સાથે સ્માર્ટ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ 16 આંગણવાડીઓ સ્માર્ટ બનાવી દેવામાં આવી છે. જ્યારે 19 જેટલી આંગણવાડીઓને સ્માર્ટ બનાવવાનું કામ ચાલુ છે. અને બાકીની આંગણવાડીઓને તબક્કાવાર સ્માર્ટ બનાવી દેવામાં આવશે.

AMC સ્ટે.કમિટી ચેરમેન દેવાંગભાઇ દાણીએ સ્માર્ટ આંગણવાડીની વિગતો આપતાં કહ્યું કે, આ એનજીઓએ હાલ 16 આંગણવાડીની કાયાપલટ કરી દીધી છે અને તેમાં ગરીબ બાળકોને આવવુ તથા રમવુ ગમે તેવી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. નવા આયોજનથી આંગણવાડીનુ વાતાવરણ બદલાઇ ગયુ છે અને બાળકો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે.

આથી યુવા અનસ્ટોપેબલ નામની એનજીઓ સાથે મળીને શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં આવેલી 100 જેટલી આંગણવાડીને પણ આધુનિક અને સ્માર્ટ બનાવવાનુ આયોજન કર્યુ છે. જેના માટે સીએસઆર ફંડનો ઉપયોગ કરવામાં આવશે, તેનાથી મ્યુનિ.તિજોરી ઉપર વધારાનુ કોઇ ભારણ પડવાનુ નથી તેમ સ્ટે.કમિટી ચેરમેને જણાવ્યું હતું.

100 આંગણવાડીને આકર્ષક રંગરોગાન, રમતગમતનાં સાધનો, રમકડા, સ્માર્ટ ટીવીથી સજ્જ કરવામાં આવશે. તદઉપરાંત સેનિટેશન રિનોવેશન, પાણી, એજ્યુકેશનલ પેઇન્ટીંગ, પ્લે ગ્રાઉન્ડ, ધાબા ઉપર વોટર પ્રુફિંગ, આંગણવાડીમાં અંદર જરૂરી રિપેરીંગ, પીવીસી કે વુડન ફ્લોરીંગ અને નવુ ઇલેકટ્રીક વાયરીંગ, સાધનો લગાવાશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...